સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી નિમિત્તે પ્રારંભ કરાયેલા સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત પ્રાંતિજ ખાતે જિલ્લા પ્રભારી અને સિંચાઈ મંત્રી પરબતભાઇ પટેલ ના વરદ હસ્તે ગામ તળાવ ઉંડુ કરવાની કામગીરી નો શુભારંભ કરાયો હતો.
પ્રાંતિજ ખાતે જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલ દ્વારા પ્રાંતિજ ભાંખરીયા તળાવ , મોટી બોખ ,તથા ચેકડેમો ને ઉડા કરવાનો શુભારંભ કરાવી જળ સંચનના શ્રી ગણેશ કરાવ્યા હતાં તો પાણી નો સતર ઉંચો જતાં ૧૮ જેટલા ગામો ને પાણી ની સુવિધાઓ મળી રહેશે અને ખેતી સહિત પાણી ની સમસ્યાઓ પણ હલ થશે તો પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ , ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , સા.કાં.બેન્ક ના ચેરમેન મહેશભાઇ પટેલ મા.સાંસદ જયસિંહ ચૌહાણ .પ્રિ. સેક્રેટરી રામગોપાલ , સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે , ડી.ડી.ઓ સ્તૃતિ ચારણ , પ્રાન્ત અધિકારી સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.