IPL શરૂ થવાના બે દિવસ પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીએ બધાને ચોંકાવી દીધા છે અને CSKની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ના ઓપનર પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ગુરુવારે MS ધોનીએ રવિન્દ્ર જાડેજાને સુકાનીપદની બાગડોર સોંપી દીધી હતી. IPL 2022 ની ઓપનર CSK અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ધોનીના નેતૃત્વમાં CSK ચાર વખત IPL જીતવામાં સફળ રહી છે.
📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
આ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે જો મહેન્દ્ર સિંહ ધોની આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એક કે બે મેચ નહીં રમવાનો નિર્ણય લેશે તો રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટનશીપ સંભાળી શકશે. ધોની 2008માં લીગની શરૂઆતથી જ CSKનો કેપ્ટન છે અને આ તેની છેલ્લી IPL હોઈ શકે છે. તે પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.
CSK તરફથી એક સત્તાવાર રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “MS ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ સોંપવાનો નિર્ણય કર્યો છે અને ટીમનું નેતૃત્વ કરવા માટે રવિન્દ્ર જાડેજાને પસંદ કર્યો છે.” જાડેજા, જે 2012 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન ભાગ છે, તે CSKનું નેતૃત્વ કરનાર માત્ર ત્રીજો ખેલાડી હશે. ધોની આ સિઝનમાં અને તે પછી પણ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે. IPL 2022 પહેલા, CSK એ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી અને રુતુરાજ ગાયકવાડને જાળવી રાખ્યા હતા.