સુરત જિલ્લામાં ડુક્કરોનો ત્રાસ હદ વટાવી રહ્યો છે. પાકને થતા નુકસાન અટકાવવા તથા થયેલ નુકસાન માટે આર્થિક સહાય આપવા બાબતે રજુઆત કરવામાં આવી છે. સુરત જીલ્લાના તમામ 9 તાલુકાના ગામડાઓમાં મોટા પ્રમાણમાં ઘણા વર્ષથી ડુકકર(ભૂંડ)ના ત્રાસની ફરિયાદો ઉઠી છે, અને આ બાબતે સુરત જિલ્લાનાં વહીવટી તંત્રમાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા વાંરવાર રજુઆત કરવા છતાં કોઈ પણ એક્સન પ્લાન કે અસરકારક યોજના બનાવી પગલાં નહીં લેવાવના કારણે, આ ડુક્કર(ભૂંડ)ના ત્રાસનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે.
ખેતરોમાં ડુકકર(ભૂંડ)નાં મોટા મોટા ઝુંડ જોવા મળી રહયા છે.જેને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છે. ખેડૂતો તેમજ ખેત મજુરો રાત્રીના સમયે સિંચાઈ કરવા જવા દરમ્યાન ડુકકર વારં વાર ખેડૂતો ઉપર હુમલો કરવાની ઘટના બહાર આવી છે. જેને કારણે સુરત જીલ્લાનાં ગામડાઓમાં શેરડી, શાકભાજી, કેળા,ડાંગર જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવી રહ્યું છે.નાના ખેડૂતો પણ યોજનાનો લાભ લઈ શકે.
જો તત્કાલ આ ડુકકરના ત્રાસ બાબતી ગંભીર પરિસ્થિતિ પર કાબુ કરવામાં આવશે નહીં તો ,આવનાર સમયમાં ખેતી કરવું ગણુ મુશ્કેલ બની રહેશેપ્રશ્નની ગંભીરતા સમજી ખેડૂતોના હિતમાં તત્કાલ યોગ્ય નિર્ણય કરવામાં આવે એવી લેખિત માંગણી દર્શનભાઈ નાયકે રાજ્યના મુખ્યમંત્રીને કરી છે.