દક્ષીણ ગુજરાંત ના હબ એવા સુરત માં વધુ એક પ્રકરણે વિવાદ ઉભો કર્યો છે સુરત ની બેન્કઓફ ઇન્ડિયા ઘોડદોડ બ્રાન્ચમાંથી ૨૪.૩૫ કરોડ તેમજ સુરતની પીપલ્સ કો.ઓપરેટિવ બેન્કમાંથી ૩૬.૧૭ કરોડ નોટબંધી પછી આરટીજીએસ (રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ)થી નીકળી જતાં સીબીઆઈના અધિકારીઓએ સુરતમાં બાર જગ્યાઓએ અને જયપુરમાં એક બેન્ક મેનેજરના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.
નોટબંધી પછી સુરતના બુલિયન ટ્રેડર અને માસ્ટર માઈન્ડ મહરસિંહ ચોકસીએ સુરતની આ બંને બેન્કોમાં ૮-૧૧-૨૦૧૬ પછી તબક્કાવાર ૨૪.૩૫ કરોડ અને ૩૬.૧૭ કરોડ બ્લેક મની બેન્કના ખાતાંઓમાં ડિપોઝીટ કર્યા હતા. સીબીઆઈને બાતમી મળી હતી કે માસ્ટર માઈન્ડ મહરસિંહ ચોકસી તેની કંપની મહરસિંહ ટ્રેડર્સના બદલે આર.એસ.ટ્રેડર્સના જુદાં જુદાં ખાતાઓમાં કેશ ડિપોઝીટ કરી હતી. ત્યારબાદ લોકલ આરટીજીએસથી બ્લેક મની સગેવગે કરી નાખ્યુ હતું. સીબીઆઈએ બેન્ક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર જે.એલ.બંસલ અને સિનિયર મેનેજર એમ.એલ.ગામીત અને મહરસિંહની પ્રાઈવેટ કંપની સામે બે જુદા જુદા ગુના દાખલ કર્યા હતા. ત્યારબાદ આજરોજ સવારથી સુરતમાં બાર જગ્યાએ અને જયપુરમાં બંસલના રહેઠાણે દરોડાની કાર્યવાહી હાથ ધરીને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે. સીબીઆઈએ રોકડ રકમ પણ જપ્ત કરી છે પણ તેની સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે આરટીજીએસથી બંને બેન્કોમાંથી કુલ ૬૦.૫૨ કરોડનું બ્લેક મની નીકળી જતાં બેન્કના અધિકારીઓની ભૂમિકા મહત્ત્વની હોવાથી તેમની સામે પણ ભ્રષ્ટાચાર અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે
અત્રે નોંધનીય છે કે નોટબંધી સમયે કેટલીક બેંકો ના અધિકારીઓ એ ડાયરેક ડીલિંગ કરી મોટી પાર્ટીઓ દલાલો બની ગયા હતાં.અને કરોડો કમાંયા છે