રાજદ્રોહ ના કેસનો સામનો કરી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ આજ રોજ શરતી જામીન પુરાવવા શહેર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસે પોહચ્યો હતો….જ્યા હાજરી પુરાવ્યા બાદ હાર્દિકે સરકાર સામે પોતાનો કટાક્ષ કર્યો હતો….
- હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું જે,આગામી તારીખ 4 થી ના રોજ સુરતમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજનો અભિવાદન કાર્યક્રમ યોજાવાનો છે…જેમાં રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ હાજર રહેવાના છે. ..આ એક સમાજને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે….પાટીદાર અનામત આંદોલનના ભાગલા પાડવા સરકાર ફરી સક્રિય બની છે…..જો આવું કરવામાં આવશે તો અમિત શાહના કાર્યક્રમમાં એ પ્રકારે વિરોધ કરાયો હતો,તેવી જ રીતે આ કાર્યક્રમમાં પણ ઉગ્રથી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે… દરમ્યાન જો કોઈ નિર્દોષ કાર્યકર્તાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં જે કાંઈ પણ પરિસ્થિતીનું નિર્માણ થશે તે માટે રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ જવાબદાર રહેશે તેવી ચીમકી હાર્દિકે ઉચ્ચારી હતી…..
- તો બીજી તરફ સુરત કોર્ટમાં હાજર ન રહેવા બદલ સરકારી વકીલ દ્વારા કોર્ટમાં વોરંટ ઇશ્યુ કરવા અંગેની અરજી કરવામાં આવી છે….જેમાં હાર્દિક કોર્ટના આદેશોને અવગણતો હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે…..આ મામલે સરકારી વકીલ અને હાર્દિકના વકીલ વચ્ચે થયેલી દલિલ બાદ સુનાવણી શુક્રવારના રોજ હાથ ધરાવાની છે….જે મામલે હાર્દિકે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ,હું પોતે કાયદાકીય રીતે માંન-સન્માન સાથે સમયસર કોર્ટમાં હાજર રહ્યો છું….સામાજિક કારણોસર કોઈક વખત નથી આવી શક્યો….હું એક બાવીસ વર્ષનો યુવાન છું અને રોજ બરોજ આવવા માટે મારી પાસે એટલા રુપિયા આવવા માટે નથી હોતા….સરકાર જે પ્રકારે કાયદાના સકંજામાં નાખવાની વાત કરી રહી છે ,તે આગામી સમયમાં જ ખબર પડી જશે……આગામી સમયમાં સુરતના પુનાગામ સ્થિત યોગીચોક મુકામે સભાનું આયોજન કરવાની તૈયારી ચાલી રહી છે….આ માટે પોલીસ પરવાનગી પણ માંગવામાં આવી છે….જો કે તે માટે પણ ગલ્લા- ટલ્લા કરવામાં આવી રહ્યા છે….પરંતું સમય આવ્યે સુરતમાં ફરી વાર પાટીદાર સમાજનું રણશિંગુ ફૂંકવામાં આવશે તેવી વાત હાર્દિકે કરી છે….
- હાર્દિકે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર દ્વારા ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ હંમેશા ચાલી આવી છે…..સરકાર પોતાના કર્મ કરી રહી છે…જ્યારે પાટીદાર સમાજ પોતાનો ધર્મ નિભાવી રહ્યો છે….વધુમાં ભાજપ સરકાર અમે પ્રહારો કરતા હાર્દિકે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આગામી સમયમાં એક રંનનીતિ ઘડવાની વાત જણાવી હતી…..