સુરતઃ સુરતમાં જાહેરમાં હત્યાની ઘટનાઓ વધી જાય છે ત્યારે વધુ એક ઘટના બની હતી. સુરતના સરથાણામાં માથાભારે વ્યક્તિ તરીકે છાપ ધરાવતા યુવકની જાહેરમાં પાચ વ્યક્તિઓએ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. ઘટનાને અંજામ આપીને હત્યારાઓ ફરાર થયા હતા. ઘટના મામલે પોલીસે તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી જઈને મામલે તપાસ શરૂ કરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં એક યુવાની હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે જાહેર રોડ પાર પસાર થઈ રહેલા આણંદના સિદ્ધાર્થ સંદીપ રાવલ નામના યુવાને પોતાની ગાડીમા સરથાણા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો.
ત્યારે પાંચ જેટલા ઈસમોએ આવીને આ યુવાનનની ગાડી અટકાવી જાહેરમાં ઘાતક હથિયાર સાથે માર મારી તેની ચપ્પુ જેવી તીક્ષણ હથિયાર વડે ગીંભીર ઇજાઓ પહોંચાડી ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.
જોકે જાહેમાં હત્યાની ઘટના બનતા લોકોના તોળા એક્ઠા થઇ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ બનાવ વાળી જગ્યા પર દોડી આવી આ મામલે તપાસ કરતા આ મરનાર યુવાન આણંદ પોલીસમાં અનેક વખત પકડાયેલ છે અને આણંદમમાં માથાભારેની છાપ ધરાવે છે.
જોકે આ યુવાન એક મહિન પહેલાં હથિયાર સાથે અમદાવાદ પોલીસના હાથે પણ ઝડપાયો છે. ત્યારે સરથાણા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યા કરવા આવેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.