દસ દિવસની આરાધના બાદ ભક્તોએ આંખમાં આંસુ સાથે બાપ્પાને વિદાય આપી હતી. જેમાં નાના બાળકો પણ રડતા જોવા મળ્યા હતા. નાનપુરાથી વિસર્જન માટે આવેલી બાળકી ગણપતિ દાદાના વિસર્જન વખતે રડી પડી હતી. તેને જોઈને તેની સાથે આવેલા તેના પરિવારના સભ્યો પણ ઉદાસ દેખાતા હતા. બાપાના વિસર્જનને લઈને આજે ડુમસ નાવિક ઘાટ પર લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
બાપ્પાની પૂજા કરી, તો વિસર્જનની પ્રક્રિયા પણ કરી
સુરતમાં દસ દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કર્યા બાદ આજે ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે. જે રીતે લોકોએ દસ દિવસ સુધી ભક્તિભાવથી બાપ્પાની પૂજા કરી, તેવી જ રીતે વિસર્જનની પ્રક્રિયા પણ કરવામાં આવી. સુરતના ભાગલ વિસ્તારમાં એક ગણેશ ભક્ત 2000ની નોટો ઉડાડતો જોવા મળ્યો હતો.
ભગવાન ગણેશને વિસર્જન માટે ટ્રકમાં લઈ જઈ રહેલા એક ભક્તે તેના હાથમાં રહેલી 2000ની નોટો ઉડાવી દીધી હતી. શહેરમાં જ્યાં એક તરફ બાપ્પાની ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં એક તરફ લોકો ડીજેની ધૂન પર ઉમટી રહ્યા છે તો બીજી તરફ કેટલાક ભક્તો નોટો ઉડાવીને પોતાનો ઉત્સાહ દર્શાવતા જોવા મળી રહ્યા છે.