ગુજરાતના સુરત શહેર નજીક બુધવારે રખડતા કૂતરાઓ દ્વારા ચાર વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટના કારેલી ગામની છે. જ્યારે છોકરો શૌચ કરવા માટે તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ચાર રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો અને તેની ગરદનને ઇજા પહોંચાડી. પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો છે.
માહિતી આપતાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સીએમ ગઢવીએ જણાવ્યું કે, ‘છોકરો અને તેના માતા-પિતા રાજસ્થાનના છે. તેઓ કારેલી ગામની એક જગ્યા પર બાંધકામ મજૂર તરીકે કામ કરે છે અને ત્યાં એક કામચલાઉ ઝૂંપડામાં રહે છે. કૂતરાના હુમલા બાદ છોકરાના માતા-પિતા અને અન્ય સ્ટાફ દ્વારા છોકરાને ઘટનાસ્થળેથી લગભગ 11 કિમી દૂર બારડોલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે બચી શક્યો ન હતો અને ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.