સુરત શહેર એક ઔદ્યોગિક શહેર છે અને આ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લોકો અસ્થાયી ધોરણે રોજીરોટી કમાવવા આવે છે અથવા તો ઘણા લોકો અહીં રહે છે. તહેવારો નિમિત્તે સુરતથી મોટી સંખ્યામાં લોકો વતન જતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને સુરત એસટી ડેપો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત શહેરમાં વિવિધ કામો માટે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ઝાલોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો અહીં રહે છે. આ જિલ્લાના લોકો વિવિધ વ્યવસાયો સાથે ખૂબ જ સંકળાયેલા છે, તેથી હોળી ધુળેટીના તહેવાર દરમિયાન તેમના માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે. 3 માર્ચથી 5 માર્ચ સુધી સુરત ડેપોમાં વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત ડેપો દ્વારા હોળી ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ દિવાળી દરમિયાન સૌરાષ્ટ્ર માટે વધારાના 200 દોડાવવામાં આવ્યા હતા, તેવી જ રીતે હોળી ધુળેટી દરમિયાન પણ આયોજન કરવામાં આવ્યું છે. જો મોટી સંખ્યામાં મુસાફરો એક પોઈન્ટ પરથી રવાના થવાના હોય, તો બસ પેસેન્જરોને ઉપાડવા માટે તે પોઈન્ટ પર જશે.
વિભાગીય નિયંત્રક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે ગત વખતે દાહોદ, છોટાઉદેપુર, ગોધરા અને ઝાલોદ માટે બસો દોડાવવામાં આવી હતી. એસટી નિગમને રૂ.56 લાખની આવક થઈ હતી. આ વખતે પણ દરેક ડેપો મેનેજરને જવાબદારી સોંપવામાં આવી છે જેના આધારે એસટી નિગમને આવક ઉભી કરતી વખતે મુસાફરોને લઘુત્તમ અસુવિધા અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા સાવચેતીભર્યું આયોજન કરવામાં આવ્યું છે.