સુરતમાં ફરી એકવાર નવજાત શિશુને કચરાપેટીમાં ફેંકી દેવાની ઘટના સામે આવી છે. નવાગામ ડિંડોલીમાં નંદનવન રો-હાઉસ પાસે આવેલી સાંઈનાથ સોસાયટીની સામે કચરો સાફ કરતી વખતે સફાઈ કામદારની નજર ભ્રૂણ પર પડી.
સુરતના ડીંડોલી પાસે નંદનવન રો હાઉસની સામે ખુલ્લી જગ્યા અને કચરાના ઢગલા છે. આ ખુલ્લી જગ્યામાંથી ફરી એકવાર કચરાના ઢગલામાંથી મૃત ભ્રુણ મળી આવ્યા છે. પાલિકાના લિંબાયત વિસ્તારમાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કિરણ પટેલે પોલીસ કંટ્રોલ રૂમને ઘટના અંગે જાણ કરી હતી.
ડિંડોલીના નવાગામમાં નંદનવન રો-હાઉસ પાસે આવેલી સાંઈનાથ સોસાયટીની સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારો સફાઈ કામ કરી રહ્યા હતા. તે સમયે એક સફાઈ કામદારે કચરાના ઢગલામાં ભ્રૂણ જોયું તો તેણે ત્યાં હાજર સેનેટરી ઈન્સ્પેક્ટરને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ અંગે ડિંડોલી પોલીસના પીએસઆઈએ જણાવ્યું હતું કે, ભ્રૂણની જાહેર જનતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. આ સિવાય નજીકની હોસ્પિટલોમાંથી ગર્ભવતી અને પ્રસૂતિનો રેકોર્ડ મેળવવામાં આવી રહ્યો છે. પોલીસ નજીકની આંગણવાડીઓમાંથી ગર્ભવતી મહિલાઓની માહિતી મેળવીને પણ તપાસ કરી રહી છે.