સુરતઃ સુરત હોય કે ગુજરાતમાં આત્મહત્યાના કેસ રોજે રોજ બનતા રહે છે. આવી જ એક ઘટના અંકલેશ્વરની હોટલમાં બની હતી. અહીં હોટલના એક રૂમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરત ખાતે પરિવાર સાથે રહેતા અને આરોગ્ય વિભંગમાં ફરજ બજાવતા કર્મચારી વિનોદ ખેતરીયા છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવામાં ફરતા હતા. તેમને રૂપિયાની તકલીફ હોવાને લઈને રૂપિયા લીધા હતા તે ભરપાઈ ન કરી શકતા તેમના માથે મોટું દેવું થઇ ગયું હતું. બીજું બાજુ રૂપિયા જેની પાસેથી લીધા હતા તે સતત રૂપિયાની ઉઘરાણી કરતા હોવાને લઈને છેલ્લા લાંબા સમયથી તેઓ માનસિક તણાવ અનુભવતા હતા.
જોકે, બે દિવસ અગાઉ પોતાની નોકરી પુરી કરી બીજા દિવસની રજા લઈને આ કર્મચારી સુરતથી નીકળી અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે આવેલી હોટલ સન પ્લાઝામાં રૂમ ભાડે રાખી રોકાયા હતા.
જોકે, આ કર્મચારીએ રૂમમાં જઈને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. હોટલ સ્ટાફ દ્વારા રૂમ સર્વિસ માટે દરવાજો ખટખટાવા છતાં દરવાજો ના ખુલતા હોટલ મેનેજરને જાણ કરી હતી.
હોટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને આ મામલે જાણકારી આપવામાં આવી હતી. જોકે પોલીસે આવીને હોટલનો દરવાજો ખોલતા આ મનપા કર્મચારી મૃત હાલતમાં મળી આવતા પોલીસે આકર્મચારીઓનાં મૃતદેહને પીએમ માટે મોકલી આપી પરિવારને આ ઘટનાની જાણકારી આપી હતી.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આપઘાતની ઘટનાઓ વધવાથી સમાજમાં એક પ્રકારે નકારાત્મકતા પ્રસરાઈ રહી છે ત્યારે આપણે ક્યા પ્રકારના સમાજની રચના કરવા માંગીએ છીએ તેવા સવાલો પણ ઉદભવી રહ્યા છે.