સુરત શહેરના પાંડેસરા ખાતે સૂરજ કાલિયા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકીએ 44 થી વધુ ગુના કર્યા છે જેમાં સુરજ કાલિયો પહેલેથી જ લાજપોર જેલમાં છે જ્યારે તેના ત્રણ સાગરિતોની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે.
ગુજરાત ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ એક્ટ (ગુજસિટોક એક્ટ 2015) વર્ષ 2019થી લાગુ કરવામાં આવ્યો હતો. હાલમાં સુરતમાં ગુજસીટોક હેઠળ 11 થી વધુ ગેંગના નામ નોંધાયેલા છે. શહેરના મોટાભાગના ટપોરીઓ લાજપોર જેલમાં બંધ છે.
પાંડેસરા પોલીસે સૂરજ કાલિયા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગંભીર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર સૂરજ ઉર્ફે સૂરજ કાલિયા, દયાશંકર સરોજ અને રાજ ઉર્ફે રાજ માલિયા, વિકાસ પાંડા હાલમાં સેન્ટ્રલ જેલ લાજપોરમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સૂરજ કાલિયા ગેંગના સભ્યોએ જુદા જુદા 44 ગુના આચર્યા છે.
ગેંગના સભ્યોને પકડવા 9 દિવસના રિમાન્ડ
સુરજ કાલિયા ગેંગના બાકીના બદમાશોને પકડવા પાંડેસરા પોલીસે દરોડા પાડ્યા હતા. ગેંગસ્ટરો કુલદીપ ગુલાબ સિંહ ઠાકુર (ઉંમર 24 વર્ષ શાસ્ત્રીનગર, વડોદ, મૂળ યુ.પી.), સતીશ ગિરજાશંકર યાદવ (ઉંમર 27, રહે બાપુનગર, વડોદ, યુ.પી.) અને અનિકેત ઉર્ફે અંકિત ઉર્ફે બૌઆ સુરેશસંગ રાજપૂત (ઉંમર 21 વર્ષીય સાલેપુર, વડોદ, યુ.પી.) રેસીડેન્સી, ભેસ્તાન, ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ પર લીધા હતા.