સુરત : GST સર્વરથી કંટાળેલા વેટ કન્સલ્ટન્ટ આજ રોજ એક દિવસની પ્રતીક હડતાળ પર ઉતર્યા છે. નાનપુરા સ્થિત વેટ વિભાગની ઓફિસ નીચે કન્સલ્ટન્ટ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સરકારની જીએસટી યુક્ત કાયદાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો કાયદો લાગુ કર્યા બાદ સૌ પ્રથમ ટેક્સટાઇલ વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જીએસતીનો વિરોધ કર્યો હતો.જો કે હવે જીએસટી કન્સલ્ટન્ટન્ટો દ્વારા પણ વિરોધનો સુર ઉઠાવવામાં આવ્યો છે .સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા વેચાણવેરા ભવન ખાતે જી એસ. ટી. ની ટેકનિકલ ખામીઓ અને રીટર્નની પ્રોસેસથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં કન્સલ્ટન્ટ એક દિવસની પ્રતીક હડતાળ ઉપર ઉતર્યા છે.હડતાળ પર ઉતરેલા કન્સલ્ટનટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જુલાઇના જીએસટી રિટર્ન હજી 30 ટકા વેપારીઓ જ ભરી શક્યા છે..જ્યારે 3-બી રિટર્ન 90 ટકા પર પહોંચ્યા છે..વેપારીઓ અને કન્સલ્ટન્ટ નો જી એસ ટી કાયદાનો વિરોધ નથી કરતા ,પણ તંત્ર ની કામગીરી સામે ધરણા પર બેઠા છે….સરકાર દ્વારા રિટર્ન ફાઇલ ભરવાની મુદ્દત તો વધારી આપવા આવી છે ,જે ટેક્સ કન્સલ્ટન્ટ માટે પૂરતી નથી. વારંવાર સર્વર ડાઉન થાય છે ,જેના કારણે હાલાકી વેઠવી પડી છે.આ જીએસટી નો કાયદો અભ્યાસ કર્યા વિના લાગુ કરવામાં આવ્યો છે ,જે ટેક્સ કન્સલ્ટન્ટ માટે મુશ્કેલીસમાન સાબિત થઈ રહ્યો છે….જો સરકાર આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન
હીં લાવે ,તો આગામી દિવસોમાં દેશભરના ટેકસ કન્સલ્ટન્ટ ગાંધી ચીંધયા માર્ગે હડતાળ પર ઉતરશે તે વાતમાં કોઈ બેમત નથી.