બર્ફાની બાબા અમરનાથની પવિત્ર યાત્રા 30 જૂનથી શરૂ થશે. ત્યારે યાત્રાએ જતા યાત્રિકો માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. સોમવાર, 27 ફેબ્રુઆરીથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.
દર વર્ષે દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથના દર્શને આવે છે. યાત્રિકોને ફિટનેસ સર્ટિફિકેટ માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રક્રિયા એક છત નીચે કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગની ઓપીડી નંબર 12માં શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, જૂના હોસ્પિટલ બિલ્ડીંગમાં આવેલી ઓપીડી નંબર 12માં સોમવારથી ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવશે. ભક્તો માટે ફિટનેસ ઓપીડી સોમવારથી શુક્રવાર સુધી ચાલશે. જેમના કેસ પેપર સવારે 8 થી 12.30 વાગ્યા સુધી લેવાશે. ઓપીડીમાં મેડિકલ ઓફિસર અને નર્સ સહિતનો સ્ટાફ હાજર રહેશે. કેસ પેપર, ECG અને સેમ્પલ માત્ર OPDમાં જ લઈ શકાય છે. જો જરૂરી હોય તો વધુ તબીબી તપાસ કરવામાં આવશે.