સુરતઃ શહેરના અમરોલી ઈન્દીરાનગર નવા હળપતિવાય પાછળ તાપી નદીના પાળા પાસેથી 13 દિવસ પહેલા મળી આવેલ કતારગામના યુવકની લાશ પ્રકરણમાં પોલીસે ગઈકાલે પીઍમ રિપોર્ટના આધારે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ ધનમોરા મગનનગર-૨ મહાદેવ ઍપાર્ટમેન્ટમાં રહેતા સંદિપ ભરતભાઈ સોનવણે (ઉ,વ.35)ની ગત તા 13મીના રોજ સાંજે પાંચ વાગ્યે અમરોલી ઈન્દીરાનગર નજીક નવા હળપતિવાસ પાછળ તાપી નદીના પાળાની પાછળથી લાશ મળી આવી હતી. બનાવ અંગે જેતે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સંદિપભાઈના મૃતદેહને પીઍમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
દરમિયાન ગઈકાલે પીઍમ રિપોર્ટ આવ્યો હતો જેમાં તેને કોઈ હથીયારથી માથા અને શરીરના ભાગે ઢોર મારમાર્યો હોવાનુ બહાર આવતા પોલીસે તેના ભાઈ પ્રદિપ સોનવણેની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સંદિપ પહેલા કડીયા મજુરી કામ કરતો હતો. ઍક અઠવાડિયા પહેલા તેને મેલેરિયા થયો હતો. સંદિપ ઘરેથી નિકળ્યાના પાંચ દિવસ પછી તેની નગન્ અવસ્થામાં લાશ મળી હતી.
આ પહેલા પણ સંદિપ દિવાળીના સમયે ઘરેથી કોઈને પણ ક્હ્ના વગર નિકળી ગયો હતો અને થોડા દિવસ બાદ પરત ઘરે આવી ગયો હોવાથી પાછો ઘરે આવી જશે ઍમ સમજીને તેના ભાઈઓ સહિત પરિવારે શોધખોળ કરી ન હતી.
સંદિપને પહેલા તાપી નદી કિનારે વોલીબોલ રમતા છોકરાઓ નદીમાંથી બહાર કાઢી સાઈટ પર બેસાડ્યો હતો તે વખતે પણ તે નગ્ન અવસ્થામાં હોવાથી છોકરાઓઍ તેને પેન્ટ પણ પહેરવા માટે આપ્યું હતુ.