ઇ-કોમર્સ ફ્લિપકાર્ટ આગામી છ મહિનામાં તેની કરિયાણાની સેવાઓને 70થી વધુ શહેરોમાં વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. કંપનીએ મંગળવારે તેની જાણ કરી હતી. વોલમાર્ટની માલિકીની કંપની દેશમાં ઇ-કરિયાણા સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે.
ફ્લિપકાર્ટની પહેલેથી જ દેશની ડિજિટલ કોમર્સ સ્પેસમાં એમેઝોન અને રિલાયન્સ સાથે સ્પર્ધા છે, તેથી હવે તે તેની કરિયાણાની સેવાઓને પણ વિસ્તૃત કરવા માંગે છે. કંપની કોલકાતા, અમદાવાદ અને વેલ્લોર સહિત 50થી વધુ શહેરોમાં વિસ્તરણ કરશે.
ફ્લિપકાર્ટે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્તરણથી સાત મોટા શહેરો અને 40થી વધુ પડોશી શહેરોના વપરાશકર્તાને ઉચ્ચ ગુણવત્તાવાળા કરિયાણા ઉત્પાદનો, ઓફર્સ, ઇન્સ્ટન્ટ ડિલિવરી અને સૌથી સાહજિક કરિયાણાની ખરીદીનો અનુભવ મળશે.
લાખો લોકો રોગચાળાથી ઇ-કોમર્સ દ્વારા કરિયાણું ખરીદી રહ્યા છે. તે માત્ર મહાનગરો જ નહીં પરંતુ ટાયર ૨ શહેરોના લોકો પણ છે જે ઇ-કોમર્સ પસંદ કરી રહ્યા છે. બિગબાસ્કેટ, ગ્રોફર્સ અને અન્ય કંપનીઓ પણ દેશમાં ઇ-કરિયાણા સેગમેન્ટમાં ફ્લિપકાર્ટ, એમેઝોન અને રિલાયન્સ જેવા દિગ્ગજો સાથે સ્પર્ધા કરે છે.
ફ્લિપકાર્ટે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે વર્ષોથી તેની કરિયાણાની સેવાઓના ઝડપી વિસ્તરણમાં રોકાણ કર્યું છે અને છેલ્લા વર્ષમાં “ઝડપી” કામ કરી શકી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિસ્તરણથી ફ્લિપકાર્ટમાં સમર્પિત કરિયાણા પુરવઠા કેન્દ્રોની મદદથી કોલકાતા, પુણે અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં ગ્રાહકો માટે ફ્લિપકાર્ટની કરિયાણાની સેવાની સુવિધા મળી છે. ફ્લિપકાર્ટમાં છેલ્લા એક વર્ષમાં ત્રણ ગણો વધારો થયો છે.
આ શહેરોમાં શરૂઆત
ફ્લિપકાર્ટે મેટ્રો શહેરો ઉપરાંત મૈસૂર, કાનપુર, વારંગલ, અલ્હાબાદ, અલીગઢ, જયપુર, ચંદીગઢ, રાજકોટ, વડોદરા, વેલ્લોર, તિરુપતિ અને દમણ જેવા શહેરોમાં પણ પોતાની સેવાઓનો વિસ્તાર કર્યો છે.