મોટા ભાગે લોકો લાંબી મુસાફરી માટે ટ્રેનને પસંદ કરતા હોય છે. પરતું જયારે કોઈ જગ્યા અચાનક જવાનું આવી પડે ત્યારે તેમના માટે ટ્રેનમાં બુકિંગ કરાવવા માટે એક જ ઓપ્શન હોય છે તે તત્કાલ ટિકિટીનો. પરતું કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે તત્કાલમાં લીધેલી ટિકિટ પણ કેન્સલ કરાવવી પડે છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છે કઈ રીતે તત્કાલ ઈ- ટિકિટને કેન્સલ કરાવી શકાય અને વેઈટિંગ ટિકિટનો કેન્સલેશન ચાર્જ શું હોય છે તેના વિશે
AC કલાસની તત્કાલ ટિકિટ માટેનું બુકિંગ જે દિવસે તમારે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય તેના એક દિવસ પહેલા સવારે 10 વાગે ઓપન થાય છે અને નોન-એસી કલાસનું બુકિંગ સવારે 11 શરૂ થાય છે. હાલના નિયમ પ્રમાણે રેલવે દ્વારા કન્ફોર્મ થયેલી તત્કાલ ટિકિટને કેન્સલ કરવા બદલ કોઈ પણ પ્રકારનું રિફન્ડ આપવામાં આવતું નથી. જયારે વેઈટિંગ કે RAC તત્કાલ ટિકિટને ટ્રેન ઉપડવાની હોય તેની 30 મિનિટ પહેલા કેન્સલ કરાવી શકાય છે. પરતું જયારે તમે એક કરતા વધુ પેસેન્જર્સ માટે તત્કાલ ટિકિટ કરાવી છે, પરતું લિસ્ટમાંથી કેટલાક પેસેન્જર્સની ટિકિટ કન્ફોર્મ થઈ ગઈ છે અને કેટલાક પેસેન્જર્સની ટિકિટ કન્ફોર્મ થઈ નથી પરતું વેઈટિંગમાં છે. આવા સજોગોમાં ટિકિટનું ફુલ કેન્સલેશન કરવામાં આવે તો જે તત્કાલ ઈ-ટિકિટ કન્ફોર્મ થઈ છે તેનું પણ રિફન્ડ આપવામાં આવે છે.ટ્રેન જો 3 કલાક કે તેનાથી વધુ સમય મોડી ચાલી રહી હોય અને પેસેન્જર જો તેની કન્ફોર્મ થયેલી તત્કાલ ઈ-ટિકિટને કેન્સલ કરાવવા માંગતો હોય તો તે IRCTCની વેબસાઈટ પર કન્ફોર્મ થયેલી તત્કાલ ઈ-ટિકિટના રિફન્ડ માટે એક TDR ફાઈલ કરી શકે છે.
તમારા IRCTC એકાઉન્ટમાં લોગઈન કરો ‘Cancel Tickets’ પર ક્લીક કરો તમે જે ટિકિટને કેન્સલ કરાવવા માંગો છો તેને ચુઝ કરો અને પછીથી ‘Cancel’ પર ક્લીક કરો તમે ટિકિટ કેન્સલ કરાવી દેશો એટલે તરત જ તમારા રજિસ્ટર્ડ મેલ આઈડી અને મોબાઈલ નંબર પર કેન્સલેશનનો મેસેજ આવશે.