આધાર લીન્ક કરાવવા માટે પરેશાન થઇ રહેલી સામાન્ય જનતાને મોટી રાહત મળી શકે છે. સરકાર આધાર લીન્ક કરાવવા માટે અંતિમ તારીખ 31 માર્ચ 2018થી આગળ વધારે તેવી શક્યતા છે.કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં આ પ્રકારનો સંકેત આપ્યો છે કે સરકારની અનેક સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારને ફરજિયાતપણે લીન્ક કરાવવાની સમયમર્યાદા 31 માર્ચથી આગળ વધારવામાં આવે તેવી શક્યતા છે.
કેન્દ્રએ અા મામલે કહ્યું કે આધાર મામલે સુનાવણીને પૂરી કરવા માટે થોડો સમય જોઇશે તેથી સરકાર સમયમર્યાદા વધારી શકે છે.મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા અને ન્યામૂર્તિ એ કે સીકરી, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર, ન્યામૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની પીઠે અટર્ની જનરલ કે કે વેણુગોપાલની દલીલ સાથે સહમતી દર્શાવી છે. વેણુગોપાલે કહ્યું તે અમે પહેલા પણ સમય મર્યાદા વધારી છે અને ફરીથી વધારીશુ પરંતુ અમે મહિનાના અંતમાં તેમ કરી શકીએ છે જેથી આ મામલે અરજદારો પોતાની દલીલો પૂરી કરી શકે.
અાપને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટ ગત વર્ષે 15 ડિસેમ્બરે આધારને અનેક યોજનાઓ સાથે ફરજિયાતપણે લીન્ક કરવાની સમયમર્યાદા 31 માર્ચ સુધી વધારી હતી.