ભટિંડાથી જમ્મૂ અને માતા વૈષ્ણોદેવીની મુલાકાત લેનારા યાત્રાળુઓ માટે ખુશખબર છે.ઇન્ડીયન એર લાઇન્સ 27 મી ફેબ્રુઆરીના રોજ ભટિંડાથી જમ્મૂની ફ્લાઇટ શરૂ કરી રહી છે.દર્શનાર્થીઓને અાનાથી ખુબજ લાભ થશે.ટ્રેન દ્વારા જમ્મુમાં 11 કલાક લે છે, જ્યારે હવાઈ સેવાનો પ્રવાસ માત્ર એક કલાક અને 5 મિનિટમાં કરવામાં આવશે.અામ 10 કલાક જેટલો સમય બચી જશે. તેમજ અા હવાઈ સેવાથી બીજી મુશ્કેલીઓ પણ અાસાન થઈ જશે.
અત્યારે હાલ દર વર્ષે, આશરે 3 લાખ જેટલા યાત્રાળુઓ ભટિંડા અને માલવા રેલવેથી અમરનાથ દર્શન અને વૈષ્ણોદેવીના દર્શનાર્થે જાય છે.ભટિંડાથી જમ્મૂનું ભાડુ પહેલે અાઓ પહેલે પાઓ યોજના અંતર્ગત મામુલી અેવુ 1295 રૂપિયા વસુલવામાં અાવશે.જ્યારે આ ભાડું 2,300 રૂપિયા સુધી પહોંચી શકે છે. જે મુસાફરો પહેલી ટિકિટ બુક કરાવે છે તે ફક્ત રૂ.1295 માં થશે.સાથે સાથે મુસાફરોને ફ્રીમાં નાસ્તો અાપવામાં અાવશે.