Indian Railway Rule: તમારા જીવનમાં અમુક સમયે ટ્રેન મોડી થવાને કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે. જો ભવિષ્યમાં ટ્રેન મોડી પડે તો તમે તમારી સમસ્યા કેવી રીતે ઘટાડી શકો છો? કારણ કે એક મુસાફર તરીકે તમારા પણ કેટલાક અધિકારો છે. આજે અમે તમને એવા અધિકાર વિશે જણાવી રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે જો ટ્રેન મોડી પડે તો આઈઆરસીટીસી (IRCTC Service) તમને કઈ સેવાઓ મફત આપે છે.ટ્રેન સમયસર ન પહોંચવા પર IRCTC આપે છે ફ્રીમાં જમવાનુજો તમારી ટ્રેન ટાઇમ ટેબલથી પાછળ ચાલી રહી છે, તો IRCTC તમને ભોજન અને એક ઠંડુ પીણું ઓફર કરે છે. આ ખોરાક તમને IRCTC દ્વારા બિલકુલ મફતમાં આપવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે કશું વિચારવાની જરૂર નથી.. રેલવેની સુવિધાઓનો અધિકાર માણો. તે તમારો અધિકાર છે.
ભારતીય રેલવેના નિયમો મુજબ જ્યારે ટ્રેન મોડી હોય ત્યારે મુસાફરોને IRCTC ની કેટરિંગ પોલિસી હેઠળ નાસ્તો અને હળવું ભોજન આપવામાં આવે છે.ક્યારે મળે છે આ સુવિધાIRCTC ના નિયમો મુજબ મુસાફરોને ફ્રી મીલ આપવામાં આવે છે. પરંતુ એવું નથી કે જો ટ્રેન 30 મિનિટ મોડી થાય તો તમને ભોજનની સુવિધા મળશે. કેટરિંગ પોલિસી હેઠળ જો ટ્રેન બે કલાક કે તેથી વધુ મોડી થાય છે, તો એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોને આ સુવિધા આપવામાં આવે છે.
એટલે કે શતાબ્દી, રાજધાની અને દુરંતો જેવી એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.IRCTC તરફથી મળે છે આ સુવિધાઓતેમની નીતિ અનુસાર સવારના નાસ્તામાં ચા કે કોફી અને બે બિસ્કીટ, સાંજના નાસ્તામાં ચા કે કોફી અને ચાર બ્રેડ સ્લાઈસ (બ્રાઉન/વ્હાઈટ), એક બટર ચિપલેટ આપવામાં આવે છે. IRCTC દ્વારા મુસાફરોને લંચ અથવા ડિનર માટે ચોખા, દાળ, અથાણાના પેકેટ આપવામાં આવે છે. અથવા 7 પુરીઓ, મિક્સ વેજ/આલુ ભાજી, અથાણાનું પેકેટ, મીઠું અને મરીનું એક-એક પેકેટ આપવામાં આવે છે.