દેશમાં રિલાયન્સ જિયોની ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી બાદ અનેક કંપનીઓએ પ્રાઈસ વોરનો ભોગ બનવું પડ્યું છે. તેમાંની એક કંપની છે એરસેલ. આ ટેલિકોમ કંપનીનું ભારતમાં સારું માર્કેટ હતું. પરંતુ આજે તે બંધ થઈ ગઈ છે. તેના યૂઝર્સ બીજી કંપનીઓમાં કન્વર્ટ કરી દેવાયા છે. પરંતુ કંપની બંધ થવાનો સૌથી વધુ માર કંપનીના કર્મચારીઓને પડ્યો છે. કંપનીના કર્મચારીઓ પાસે ગુજરાન ચલાવવા માટે પણ રૂપિયા નથી. મોટા ભાગના કર્મચારીઓને માર્ચથી પગાર મળ્યો નથી. સ્થિતિ એવી છે કે કર્મચારીઓએ શહેર છોડવાની નોબત આવી ગઈ છે. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ નાદાર જાહેર થયેલી એરસેલના 3000 કર્મચારીઓ એવા છે કે જેમને માર્ચથી સેલેરી મળી નથી. તેમની પાસે કોઈ બીજુ કામ નથી. જો કે કર્મચારીઓ એક બીજા સાથે સમય પસાર કરે છે. બીજી કંપનીઓમાં ઈન્ટરવ્યું માટે એક બીજાની મદદ કરે છે. કંપનીના અંતરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) પાસેથી મળેલી માહિતી પણ તેઓ પરસ્પર શેર કરે છે. એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેમની પાસે હવે ફક્ત બે મહિના ખર્ચ ચાલે તેટલા જ રૂપિયા છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.