Whatsappના નવા પેમેટ ફિચર્સ લોંચ કર્યા પછી બજારમાં સ્પર્ધકો વચ્ચે ખલબલી મચી ગઈ છે.આનું સીધું ઉદાહરણ પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા તરીકે ઓળખાય છે.શર્માએ જણાવ્યું હતું કે ટ્વીટર પર લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન Whatsapp યુપીઆઈ સિસ્ટમનો અંત લાવવાનો છે.માર્કેટમાં અાવતા પેટીએમમાં તેની પાસે આવી લોકપ્રિયતા ન હતી.
નોટબંધી બાદ વપરાશકારો પાસે કોઈ યોગ્ય વિકલ્પ નહતો.નાની દુકાનો પર ડેબીટકાર્ડ સ્વાઈપનું મશીન નહોવાથી ખરીદી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. કેસની કમી બેન્કોમાં લાંબી લાઇનો અને મુશ્કેલી બાદ પેટીએમ અાશિર્વાદ લઇને અાવ્યુ હતુ. નાની નાની રકમનું પણ ટ્રાન્જેક્શન ખુબજ સરળતાથી અને કોઈ પણ રોજબરોજ માટે ઉપયોગ કરવા લાગ્યું. કંપનીએ પણ તગડી કમાણી કરી હતી.
પરંતુ WhatsApp વપરાશકર્તાઓની સંખ્યા પહેલેથી જ ઘણી બધી છે.Whatsapp મેસેજિંગ માટે એક લોકપ્રિય એપ્લિકેશન છે, જે વાસ્તવમાં અત્યાર સુધી તેની સામે કોઈપણ મેસેજિંગ એપ્લિકેશન સ્પર્ધા કરી શક્યું નથી.આ દરમિયાન, WhatsAppમાં પેમેટ ફિચર્સ આવતા, દેખીતી રીતે જ પેટીએમના કેટલાક વપરાશકર્તાઓ ચોક્કસપણે વિભાજિત થશે અને તેને ખુબજ મુશ્કેલ ટક્કર અાપશે.