ભાજપે આજે આજે રાષ્ટ્રીય કારોબારી સમિતિ ની જાહેરાત કરી છે , જેમા ગુજરાત ના અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.
આજ રોજ જાહેર થયેલી રાષ્ટ્રીય કારોબારી સમિતિ માં પ્રધાનમંત્રી મોદી તથા ભાજપ ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડૅવાણી નો પણ સમાવેશ કરવામા આવ્યો છે લાલકૃષ્ણ અડૅવાણી ગાંધીનગર ના પૂર્વ સાંસદ સભ્ય અને દેશ ના નાયબ વડપ્રધાન પદે પણ રહી ચુક્યા છે ગુજરાત ના અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ રાષ્ટ્રીય કારોબારી સમિતિ માં કરવામાં આવ્યો છે.રાષ્ટ્રીય કારોબારી સમિતિ માં ધીમેધીમે ગુજરાતીઓનો દબદબો વધતો જઈ રહ્યો છે.જેમા દેશ ના ગ્રુહમંત્રી અને ગાંધીનગર ના હાલ ના સાંસદ શ્રી અમિત શાહ , કેંદ્ર ના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા નો પણ સમાવેશ કરવામા આવ્યો છે
આ સિવાય ગુજરાત ના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ અને ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ નો પણ સમાવેશ કરવામા આવ્યો છે. આ સિવાય જે અટકળો ચલાવામા આવી રહી હતી વિજય રૂપાણી અને નીતિન પટેલ ને કેંદ્ર મા મોટી જવાબદારી મળી શકે છે અને એજ પ્રમાણે જ કે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો સમાવેશ કાયમી આમંત્રિત સભ્યો મા કરવામા આવ્યો છે
વધુમા આ સિવાય અન્ય સભ્યો માં રમીલા બેન બારા , ભારતીબેન શિયાળ નો પણ ગુજરાત ના નેતાઓ માંથી સમાવેશ કરવામા આવ્યો છે.અન્ય નેતાઓમા રાજ્નાથ સિંહ , નિતિન ગડકરી ,પિયુષ ગોયલ , રવિશંકર પ્રસાદ , ગિરિરાજ સિંહ સહિત અન્ય ૮૦ જેટલા નેતાઓનો સમાવેશ રાષ્ટ્રીય કારોબારી સમિતિ માં સમાવેશ કરવામાં આવ્યો છે.