ભરૂચ જીલ્લા માં નર્મદા નદી ના કાંઠે ખેતી કરતા ખેડૂતો એ નર્મદા નદી માં ખારા પાણીથી ખેતીને થતા નુકશાન અને જમીન ધોવાણ અંગે રેલી કાઢી જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરી હતી…….
ભરૂચ જીલ્લા માં નર્મદા નદી ના બંને કાંઠા પર વસ્તા અને ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂતો એ આજ રોજ વિવિધ માંગ સાથે ભરૂચ ના કસક સર્કલ થી હાથ માં બેનરો લઇ અને ભારે સુત્રોચ્ચાંર સાથે વિશાળ સંખ્યા માં રેલી યોજી કોલેજ રોડ બ્રિજ થઇ જીલ્લા સમહર્તા ને આવેદન પત્ર આપવા માં આવ્યું હતું …
આવેદન પત્ર માં જણાવ્યા મુજબ છેલ્લા ૩.૪ વર્ષ થી નર્મદા નદી કાંઠા ના ૨૦ થી વધુ ગામો ના ખેડૂતોને ખારા પાણીની ગંભીર સમસ્યા નો સામનો કરી રહ્યા છે …અને ચોમાસા બાદ નદી માં પાણી ડેમ મારફતે છોડવા માં આવતું નથી અને જે પાણી આવે છે તે સ્થાનિક જી આઈ ડી સી ઓ ના પંપો દ્વારા ખેંચી લેવા માં આવે છે …તેવા આક્ષેપો આવેદન પત્ર માં કરાયા હતા ….
નર્મદા ના કાંઠા વિસ્તાર માં વસ્તા ખેડૂતો એ જીલ્લા સમહર્તા ને આવેદન પત્ર આપી માંગ કરી હતી કે નર્મદા નદી માં ખારા પાણીથી ખેતી ને નુકશાન તેમજ જમીન ધોવાણ અટકાવ્વા તંત્ર વહેલી ટકે પગલાં લે તે જરૂરી છે …..