માલિક પોતાની મિલકતના વખાણ કરીને પોતાનો ભાવ કહેશે. આ સમયે તમે જે નકારાત્મક પાસાં નોંધ્યા હશે તે કામમાં આવશે. તે પોતાની મિલકતની સારી બાબતો રજૂ કરે ત્યારે તમે તેની નકારાત્મક બાબતો રજૂ કરી ભાવ અંગે ચર્ચા કરો. ચોક્કસ એવું બનશે કે તે પોતાનો ભાવ ઓછો કરી દેશે
અત્યારે તમામ પ્રકારના સોદા થતાં હોય છે. જ્યારે કોઇ મિલકતનો સોદો થતો હોય અને અનુભવ ન હોય ત્યારે છેતરાઇ જવાનો ભય રહેતો હોય છે. જો તમને આ બાબતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો છેતરાઇ જવાની શક્યતા ઓછી થઇ જશે. જો તમે કોઇ મિલકત એટલે કે ફ્લેટ, જમીન કે ઘરનો સોદો કરતાં હો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો સરળતા રહેશે. સૌપ્રથમ તમે આ જોઇ શકશો જે મિલકતનો માલિક છે તે પોતાની મિલકતની સારી બાબતો બતાવશે. તમારે તેની નકારાત્મક બાજુ શોધવાની છે અને તે બાજુ વિશે તેનો ખુલાસો માંગવાનો છે. ધારો કે કોઇ જમીનનો સોદો હોય અને તે જમીન રોડ ટચ હોય તો માલિક સતત એ કહેશે કે આ જમીન તો રોડ ટચ છે તે ધારે ત્યારે તેને વેચી શકે તેમ છે ત્યારે તમારે અન્ય કોઇ મુદ્દો મુકવો જોઇએ જેમકે ભલે રોડ ટચ જમીન હોય પરંતુ તેમાં કૂવો નથી તેમ તમે કહી શકો. કૂવા વગર જમીનના પાક માત્ર વરસાદ પર નિર્ભર રહે છે અને તેથી પાકમાં ક્યારેક નુકસાન પણ જઇ શકે છે. આ રીતે તમારે જે તે વસ્તુની નકારાત્મક બાજુ પણ શોધવી જોઇએ. શક્ય હોય ત્યાં સુધી તેને એ વાતની ખબર બિલકુલ ન પડવા દો કે તમને તેની મિલકતમાં રસ ધરાવો છો. શક્ય હોય ત્યાં સુધી તેઓની મિલકતની ટીકા કરો. તેની સામે તેઓની મિલકત સારી નથી તેવું સાબિત કરો. આમ કરવાથી તેઓ પોતાનો ભાવ તોડે તેવું પણ બનશે. તેથી સતત નિરસ રહો અને તમારો રસ જાહેર ન કરો. ત્યારબાદ જ્યારે પણ ભાવની વાત આવે ત્યારે તરત જ વિરોધ શરૂ કરી દો. ખાસ કરીને એવું ચોકક્સ બનશે કે માલિક પોતાની મિલકતના વખાણ કરીને પોતાનો ભાવ કહેશે.
આ સમયે તમે જે નકારાત્મક પાસા નોંધ્યા હશે તે કામમાં આવશે. તે પોતાની મિલકતની સારી બાબતો રજૂ કરે ત્યારે તમે તેની નકારાત્મક બાબતો રજૂ કરી ભાવ અંગે ચર્ચા કરો. ચોક્કસ એવું બનશે કે તે પોતાનો ભાવ ઓછો કરી દેશે. દરેક માલિક પોતાની મિલકતમાં શું શુ્ં ખામી છે તે જાણતો જ હોય છે અને તેથી જ તે તરત જ વાસ્તવિકતા જાણશે કે તમે પણ સારૂ એવું નિરીક્ષણ કરી શકો છો. આ સિવાય જો તમને ગમતા ભાવ પર તે એટલે કે માલિક આવી ગયો હોય તેમ છતાં તરત જ મંજૂરી ન આપો. તમે તેઓને તેમ કહી શકો કે એકાદ દિવસમાં વિચારીને કહીશ. આમ કરવાથી તે પોતાનો ભાવ વધુ ઉતારે તેવી પણ પૂરી શક્યતા રહેલી છે. ખાસ કરીને ઘણી વખત એવું બનતું હોય છે કે મિલકતોમાં જે દલાલ હોય છે તે પોતાનો ભાવ ઉમેરીને કહેતો હોય તેવું પણ બનતું હોય છે અને આવી પરિસ્થિતિમાં જો તમે એકાદ દિવસ માંગશો તો દલાલ પર માનસિક દબાણ રહેશે કે પાર્ટી ભાવને કારણે હાથમાંથી નીકળી જશે. આમ થવાથી તે પોતાની દલાલી પણ ઓછી કરી દે તેવી શક્યતા છે. સરવાળે આ રણનીતિથી તમને ફાયદો રહેશે.
આ સિવાય તમે તેઓની પાસેથી તમામ દસ્તાવેજ માંગો. આ પણ એક રણનીતિ છે. કેટલીક વખત એવું બનતું હોય છે કે દસ્તાવેજ માંગવાથી માલિક પર એક દબાણ ઉભુ થતું હોય છે કેમ કે તેના દ્વારા માલિકને એ અહેસાસ થાય છે કે ખરીદનાર જાગૃત છે અને ત્યાં કોઇ પણ ખોટી બાબત ચાલશે નહીં. તમે તે પણ કહી શકો કે આ દસ્તાવેજ હું વિશેષજ્ઞને બતાવીશ અને તેનું વેરિફિકેશન કરાવીશ. આમ કરવાથી માલિક પર દબાણ વધશે. આ કેટલીક ટેક્નિક અપનાવશો તો બની શકે કે તમને ગમતી મિલકત તમને સરળતાથી તમારા ભાવમાં મળી જાય. તેથી ક્યારેય પોતાની ખુશી કે આનંદ ન દર્શાવશો અને તેના વખાણ ન કરશો. તમે જેટલી આ તકેદારી રાખશો તેટલો જ તમને ફાયદો થશે. નહીં તો માલિક પોતાની કિંમતે પોતાની મિલકત વેચશે અને તમે તેમાં કાંઇ કરી નહીં શકો.