કચ્છ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 22 મેના રોજ કચ્છના મહેમાન બન્યા હતા અને ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ ના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. પોતાની કચ્છ મુલાકાત દરમ્યાન પીએમ મોદીએ કંડલા પોર્ટનું નામ બદલાવા શિપિંગ મંત્રી નીતિન ગડકરીને કંડલા પોર્ટનું નામ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ઓફ કંડલા રાખવા સલાહ આપી હતી તેમજ નામ બદલાવની પ્રક્રિયા કરવાનું સૂચન કર્યું હતું.
પીએમ મોદીના સૂચનનું પ્રથમવાર કચ્છ અને ગાંધીધામ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કચ્છના સિંધુ સેના અને રાજપુતાના ડોટ કોમ તથા રાજપુતાના સ્પોર્ટ કલબ દ્વારા અલગ અલગ નામનો પ્રસ્તાવ વડાપ્રધાન મોદીને મોકલવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિંધુ સેના દ્વારા કંડલા પોર્ટ માટે ભાઈ પ્રતાપના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. તો રાજપૂત સમાજએ મહારાવ ખેંગારજી ત્રીજાના નામનું સૂચન કર્યું હતું.
સિંધુ સેનાના જણાવ્યા મુજબ ગાંધીધામ આદિપુર સિંધી સમાજની બહુમતી ધરાવતા શહેરો છે. અને ભાઈ પ્રતાપનું આદિપુર-ગાંધીધામ તથા કંડલા પોર્ટના વિકાસ માટે મોટુ યોગદાન છે. જેને લઈને મામલતદારને આવેદન આપી રજૂઆત પણ કરવામાં આવી હતી.
તો બીજી બાજુ, રાજપૂત સમાજ દ્વારા કંડલા પોર્ટના નવા નામે કચ્છના મહારાવનું નામ સૂચવવામાં આવ્યું હતું અને વડાપ્રધાનને રજુઆત મોકલી હતી. ભારતના ભાગલા સમયે કચ્છના મહારાજે સરકારને 15000 એકર જમીન દાનમાં આપી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમના નામનું સૂચન કરાયું હતું.
મહત્વ પૂર્ણ છે કે, દેશના 12 મોટા બંદરો જેમકે મુંબઈ પોર્ટ, વિશાખાપટ્ટનમ પોર્ટ વગેરેના નામ ત્યાના મોટા શહેરના નામે જ રાખવામાં આવ્યા છે. તો કંડલા પોર્ટનું નામ બદલવાની જરૂરિયાત શું છે. તેવી લોક મુખે ચર્ચા ચાલી રહી છે.