એસબીઆઇ આવતા 5 વર્ષોમાં ડેબિટ કાર્ડલેસ એટલે કે ડેબિટ કાર્ડ્સ થી છુટકારો મેળવી શકે છે. બેંક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સને વધુ પ્રોત્સાહિત કરવાની અને પ્લાસ્ટિક કાર્ડ્સને દૂર કરવાની યોજના ધરાવે છે.
આ એસબીઆઈના ગ્રાહકો દ્વારા ડેબિટ કાર્ડ્સ પર ભારે વિશ્વાસ ધરાવતા હોવાથી ગ્રાહકો માટે અગવડરૂપી નિર્ણય સાબિત થયી શકે છે.
ચેરમેન રજનીશ કુમારે સોમવારે અહીં વાર્ષિક ફીબાકમાં બોલતાં કહ્યું કે, ડેબિટ કાર્ડ્સને ખતમ કરવાની અમારી ઇચ્છા છે અને અમને ખાતરી છે કે અમે તેમને દૂર કરી શકીશું.
તેમણે કહ્યું કે દેશમાં 3 કરોડ ક્રેડિટ કાર્ડની તુલનામાં લગભગ 90 કરોડ ડેબિટ કાર્ડ છે અને ડેબિટ કાર્ડ ની જગ્યાએ પોતાના ‘યોનો’ પ્લેટફોર્મ જેવા ડિજિટલ સોલ્યુશન્સ તરફ ધ્યાન દોરે છે.
કુમારે યોનો પ્લેટફોર્મ માટે જણાવ્યું હતું કે, સ્વચાલિત ટેલર મશીનોમાંથી કોઈ રોકડ ઉપાડી શકે છે અથવા કોઈ પણ જગ્યાએ કાર્ડ વિના ખરીદી માટે ચૂકવણી કરી શકે છે.
આપના માટે શું આપણે ડેબિટ કાર્ડલેસ થવા તૈયાર છીએ?