ગાંધીનગર રાજ્યમાં 6 લાખથી વધારે સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારે 7માં પગારપંચનો લાભ આપ્યો છે..જો કે, તેની સાથે રાજ્યના કર્મીઓને હાલમાં છઠ્ઠા પગાર પંચ મુજબ ઘરભાડા ભથ્થા આપવામાં આવે છે.
ઘર ભાડા ભથ્થા માટે ૫૦ લાખથી વધુ વસતી ધરાવતા મેટ્રોસિટી, ૫ થી ૧૦ લાખની વસતી તેમજ ૫ લાખથી ઓછી વસતી ધરાવતા શહેરો એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ મુજબ ૩૦ ટકાના દરે ઘરભાડા ભથ્થા અપાતા હતા તે હવે ૭મા પગાર પંચમાં ઘટાડીને ૨૪ ટકા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ આગામી ભવિષ્યમાં ૭મા પગાર પંચ મુજબ કર્મીઓને ઘરભાડા ભથ્થા અંગે સમિતિના અહેવાલ બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.