રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા પોત-પોતના સમાજને રિઝવવા રાજ્કીય નેતાઓ ફરી એકવાર જુદી-જુદી સભાઓ, સંમેલનો યોજી સરકારને પોતાના શકિત પ્રદર્શન બતાવી રહ્યા છે. કેટલીક વખત નેતાઓ જનસભા સંબોધતિ વખતે અતિઉત્સાહમાં આવી આડેધડ નિવેદનો આપી ભાન ભૂલી જતા હોય છે. તો વધુ એકવાર કોંગ્રેસના નેતા પોતાના નિવેદન લઇ વિવાદમાં સંપાડાયા છે. કોંગ્રેસ દિગ્ગજ નેતા અને વિવાદોના પર્યાવી બનેલા એવા ભરતસિંહ સોલંકી ફરી એકવાર પોતાના વિવાદસ્પદ નિવેદન આપી રાજકારણમાં ગરમાવો લાવી દીધુ છે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ રામમંદિરને લઇ વિવાદાસ્પદ નિવેદનથી ચારેકોર ચકચાર મચી જવા પામી છે. ભરતસિંહે ભાજપ આકરા પ્રહાર કરતા કહ્યુ કે રામ નામ ભાજપે કરોડ રૂપિયા ઉઘરાવ્યા રામ મંદિર માટે એકઠી કરેલી શિલાઓ પર શ્વાન પેશાબ કરતા થઇ ગયા છે. ભાજપ રામ નામે મતો ઉલેચવા રાજનિતી કરે છે. ચૂંટણી પહેલા ફરી એકવાર રામ નામે ગુજરાતમાં રાજનિતી ગરમાઇ છે. થોડાકા દિવસ આગાઉ જનવેદના કાર્યક્રમ કોંગ્રેસ મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના નિવેદન કરેલા વાણીવિલાસને લઇ ચારેકોર ટીકાઓનો સમાનો કરવો પડ્યો હતો એક બાદ કોંગ્રેસના નેતાઓ વિવાદસ્પદ નિવેદનથી ભાજપને ટીકા કરવાનું ખુલ્લો દૌર મળી રહ્યો છે. ગુજરાત 2022માં વિધાનસભામાં રામનો મુદ્દો તુલ પકડી શકે તેવુ પણ એંધાણ મળી રહ્યા છે.