રેનમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓ પર વધુ કિંમતો વસૂલાતી રોકવા માટે રેલવે દ્વારા કડક પગલા લેવાયા છે. આ માટે રેલવેએ નવી સ્કીમ ‘નો બિલ, ફ્રી ફૂડ પોલિસી’ લોન્ચ કરી છે. એટલે કે હવે બિલ નહીં તો પૈસા નહીં. આ નવી પોલિસી ઈન્ડિયન રેલવે દ્વારા આ કારણે લાવવામાં આવી છે કારણ કે રેલવેમાં ઘણીવાર ફૂડ ખરીદવા પર બિલ નથી આપવામાં આવતું. રેલ યાત્રિઓની એવી પણ ફરિયાદ છે કે તેમની પાસેથી વધારે કિંમત વસૂલવામાં આવે છે. રેલવેના આ નિર્ણયથી યાત્રીઓ પાસેથી હવે ટ્રેનમાં ફૂડની વધારે કિંમત નહીં વસૂલી શકાય.
આ નવી પોલિસીના નોટિસને તે બધી ટ્રેનોમાં લગાવવામાં આવશે જે ટ્રેનોમાં યાત્રીઓ ફૂડ ખરીદે છે. આ નવી યોજના સરખી રીતે કામ કરી રહી છે કે નહીં તે ચકાવસા માટે રેલવે ઈન્સ્પેક્ટરો ધ્યાન રાખશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રેલવેના ઓફિસરોએ આ પોલિસી લાવવાનું મુખ્ય કારણ આપતા જણાવ્યું કે, ફૂડ આપનારા વેન્ડર યાત્રીઓના માગવા છતા બિલ નથી આપતા. પાછલા વર્ષે એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે રેલવેને ખોરાકની વધારે કિંમત વસૂલવાની 7000થી વધારે ફરિયાદો મળી હતી.
સરકારનો આની પાછળ એવો તર્ક છે કે રેલવે કંપનીઓની મનમાની રોકાશે. આ મામલે રેલવે મંત્રાલયે બધી ટ્રેનો પર નોટિસ લગાવવાનો આદેશ આપ્યો છે. નવા નિયમ અનુસાર, જો કોઈ વેન્ડર બિલ આપવાથી ઈનકાર કરે છે તો, કેટરિંગ કંપનીનું લાઈસન્સ રદ્દ કરી શકાય છે.
આ પગલા રેલવેમંત્રી પીયૂષ ગોયલના તે નિવેદન બાદ ઉઠાવાયા છે, જેમાં તેમણે રેલવેથી એવા વેન્ડરો અને ફૂડ આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. પાછલા વર્ષે રેલવેએ બે કેટરર્સના કોન્ટ્રેક્ટને વધારે કિંમત વસૂલવાની ફરિયાદના કારણે રદ્દ કરાયો હતો. સાથે જ ઘણા કેટરર્સ પર ભારે દંડ ફટકારાયો હતો.