હાઇવે અને રસ્તાઓ બનાવતા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી (એનએચએઆઈ) દેવાના બોજા હેઠળ દબાઈ ગઈ છે. તેમની આ સ્થિતિ પછી વડા પ્રધાન કાર્યાલયે (પીએમઓ) તેમને પત્ર લખ્યો છે અને તેમને રાજમાર્ગોનું નિર્માણ અટકાવવા કહ્યું છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા 5 વર્ષમાં ઓથોરિટીનું દેવું 7 ગણું વધ્યું છે.
પીએમઓ દ્વારા 17 ઓગસ્ટના એક પત્રમાં, ઓથોરિટીને કહેવામાં આવ્યું હતું કે, બિનઆયોજિત રસ્તાઓનું વધુ પડતું લંબાણ કરવાને કારણે ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટીના કાર્યમાં આ અવરોધ પેદા થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વધતા દેવા પર, ઓથોરિટીએ માર્ગ નિર્માણના પ્રોજેક્ટ્સ ધીમા કરવા પડશે અથવા સરકાર દ્વારા આર્થિક વિકાસને વેગ આપવા માટે ખાનગી ભાગીદારો પર નિર્ભર રહેવુ પડશે. ઘણી ખાનગી કંપનીઓ કે જે રસ્તાઓ બનાવે છે તે કરવા પડતા ભારે રોકાણને કારણે પ્રોજેક્ટમાં રસ દાખવતા નથી.
પત્રમાં જણાવાયું છે કે એન.એચ.એ.આઈ. દ્વારા જમીનની કિંમતની ઘણી ગણી ચૂકવણી કરવાની ફરજ પાડે છે. આના કારણે રસ્તાઓ બનાવવામાં આવતા ખર્ચમાં વધારો થાય છે. આનાથી રસ્તાનું માળખું આર્થિક રીતે અસ્થિર થઈ ગયું છે. બ્લૂમબર્ગના દસ્તાવેજો અનુસાર, વડા પ્રધાન મોદીની કચેરીએ એન.એચ.એ.આઈ.ને તેનું નામ બદલીને રોડ એસેટ્સ મેનેજમેન્ટ કંપની રાખવામાં આવ્યું છે. સમાચાર અનુસાર પીએમઓએ નેશનલ હાઈવે ઓથોરિટી પાસે એક અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. પી.એમ.ઓ. નો આ નિર્ણય પી.એમ. મોદીના પ્રથમ કાર્યકાળની સંપૂર્ણ વિરુદ્ધ છે. એ જાણવું રહ્યું કે પ્રથમ કાર્યકાળમાં મોદી સરકાર દેશમાં હાઇવેના ઝડપથી બાંધકામ માટે એનએચએઆઇ માટે વખાણનો ધોધ વહાવતી હતી. સરકારે કહ્યું હતું કે ઓથોરિટીએ ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવામાં મદદ કરી છે.
એસબીકેપ સિક્યોરિટીઝ લિમિટેડના જણાવ્યા અનુસાર હાલમાં એન.એચ.એ.આઈ.આઈ. પર 1.8 ટ્રિલિયન રૂપિયાનું દેવું છે. ઓથોરિટી તરફથી આ લોન પર 140 અબજ રૂપિયાનું વ્યાજ ચૂકવવામાં આવી રહ્યું છે જ્યારે ઓથોરિટી વિવિધ રાજમાર્ગો પર ટોલ તરીકે 100 અબજ રૂપિયા કમાય છે. એન્ટિક સ્ટોક બ્રોકિંગ લિમિટેડના વિશ્લેષક રોહિત નટરાજનના કહેવા પ્રમાણે, નાણાકીય વર્ષ 2020 માં ઓથોરિટી પર 56 અબજ રૂપિયાનું, નાણાકીય વર્ષ 2021 માં રૂ. 66 અબજ અને નાણાકીય વર્ષ 2023 માં 47 અબજ રૂપિયાનું દેવું હોવાનો અંદાજ છે.