ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ વતી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ અને સર્વકર્તાહર્તા રાજ ઠાકરેને કોહિનૂર બિલ્ડીંગ કેસના સંદર્ભમાં પૂછપરછ કરવા બોલવામાં આવ્યા છે. સૂત્રોના આધારે રાજ ઠાકરેજી ને 22 ઓગસ્ટના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ સમક્ષ હાજર થવા તાકીદ કરવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ IL&FS મની લોન્ડરિંગ કેસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ) ની તપાસ કરી રહ્યું છે જેમાં કોહિનૂર બિલ્ડિંગ પ્રોજેક્ટ તપાસ દરમિયાન બહાર આવ્યો હતો. સૂત્રોનો દાવો છે કે તપાસ દરમિયાન રાજ ઠાકરેનું નામ બહાર આવ્યું હતું.
નાણાંકીય તપાસ એજેન્સીએ આ બાબતમાં ઘણા લોકોની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા છે. સૂત્રો કહે છે જે ED કોહિનૂર બિલ્ડીંગ માં રોકાણ અને શેર હોલ્ડિંગની તપાસ કરી રહી છે જેમાં રાજ ઠાકરે સાથે રાજન શિરોદકર અને ઉન્મેષ જોશીએ 421 કરોડમાં સોદો કર્યો હતો. IL&FS કૌભાંડ કેસમાં તપાસ દરમિયાન આ સોદો સામે આવ્યો હતો.
વધુમાં IL&FS એ કોહિનૂર CTNL ને 225 કરોડની લોન આપી હતી પરતું પાછળથી 135 કરોડની કમાણી કરી હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના વડા રાજ ઠાકરે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરવાના કારણે ચર્ચા માં રહ્યા છે. તેઓ શિવસેના પ્રમુખ બાલ ઠાકરેના ભત્રીજા છે.