પીએનબી કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે જનહિતની અરજીનો સ્વિકાર કર્યો છે. પીએનબી કૌભાંડ મામલે બે અરજી દાખલ કરાઈ છે જેમા એક અરજી વકીલ વિનીત ઢાંડા અને બીજી અરજી વકીલ એમએલ શર્માએ કરી છે.
વિનીત ઢાંડાએ કોર્ટમાં કહ્યું કે અગાઉ વિજય માલ્યા કેસ મામલે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક નોટિસ આપવી જોઈએ. અરજીમાં પીએનબી કૌભાંડ મામલે કરોડો રૂપિયોનો ચૂનો ચોપડનાર નિરવ મોદી વિદેશ ભાગી ગયો છે. જેથી નિરવ મોદીને સ્વદેશ પરત લાવવાની માગ કરાઈ છે. સાથે અરજીમાં નાણા મંત્રાલય દ્વારા લોન માટે એક ગાઈડલાઈન તૈયાર કરવાની માગ કરાઈ છે.
વિશેષજ્ઞોની એક કમિટી બનાવાવમાં આવે જેના માધ્યમથી દેશભરમાં લોન લીધા બાદ ચૂકવણી ન કરનાર અંગે માહિતી એકત્ર કરવામાં આવે. તો બીજી તરફ જનહિતની અરજી મામલે કેન્દ્ર સરકારે સ્વતંત્ર તપાસનો વિરોધ કર્યો છે. આ મામલાના સુનાવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી ત્રણ જસ્ટિસની ખંડપીઠ કરી રહી છે. તો આ મામલે વધુ સુનવાણી 16 માર્ચના રોજ થશે.