અમદાવાદના રેલવે મંડળના મહેસાણા, પાલનપુર અને અમદાવાદ રેલવેમાં ફરજ બજાવતા 6 કર્મચારીઓ લગ્ન પ્રસંગે રાજસ્થાનના ફુલેરા ગામે જતા રસ્તામાં સિરોહીના સુમેરપુરા નજીક અકસ્માત નડ્યો હતો. જેમા 3 કર્મચારીઓના મોત નિપજ્યા હતા. જ્યારે 3 કર્મચારીઓને ઇજા થતા પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ રેલવે મંડળના અમદાવાદ, મહેસાણા, પાલનપુર જંકશનથી રેલવેમાં ફરજ બજાવતા 6 કર્મચારીઓ ખાનગી વાહન નં.જીજે.02.સીએ-4679 નંબરની કાર ટીયુવી 300 માં 3 કર્મચારી મહેસાણા રેલવેના, 2 સાબરમતી રેલવેના અને 1 પાલનપુરનો રેલવેના કર્મચારી રાજસ્થાનના ફુલેરા ગામ ખાતે લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના સમયે બાર વાગ્યા આસપાસ અચાનક રસ્તામાં નિલગાય આવી જતા ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી ડીવાઇડર કુદી રોડની બાજુમાં આવેલા 7ફુટ ઉંડા ખાડામાં ગરકાવ થઇ હતી.
ઘટનાને પગલે ગાડી ચાલક મહેબુબભાઇનો સ્વ બચાવ થવા પામ્યો હતો. ગાડીમાં સવાર 6 કર્મચારીઓને ઇજા થતા તેમાં 3 કર્મચારીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 3 કર્મચારીઓને સારવાર અર્થે પાલનપુરની માવજત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ રેલવે મથકે થતા સમગ્ર સ્ટાફમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.