ફરીદાબાદઃ સામાન્ય રીતે રસ્તે રઝળતા પશુઓ રસ્તા ઉપર જે મળે તે ખાઈ લેતા હોય છે. ખાસ કરીને ગાયો લોકો દ્વારા ફેંકેલી પ્લાસ્ટીકની થેલીઓમાં વસ્તુ થેલીઓ સાથે જ ખાઈ જતી હોય છે. ત્યારે આવી ગાયોના પેટમાંથી પોલિથીન સહિત અવનવી વસ્તુઓ નીકળવી સ્વાભાવિક છે. આવો જ એક કિલ્લો હરિયાણાના ફરીદાબાદમાંથી સામે આવ્યો છે. અહીં એક દુર્ઘટનામાં ઘાયલ થયેલી ગાયની સર્જરી કરવામાં આવી. આ દરમિયાન તેના પેટમાંથી 71 કિલોથી વધુ પોલિથીન કાઢવામાં આવી અને સાથોસાથ કચરો પણ કાઢવામાં આવ્યો. ગાયના પેટમાંથી પોલિથીન, સોય, સિક્કા, પથ્થર અને ખીલ્લી પણ મળી આવી છે.
દેવઆશ્રય હૉસ્પિટલના ડૉક્ટર અતુલ મોર્યના જણાવ્યા મુજબ, ગાયની સર્જરી સફળ રહી પરંતુ તે હજુ ખતરાથી બહાર નથી. આગામી 10 દિવસ ખૂબ જ અગત્યના રહેશે. નોંધનીય છે કે ડૉક્ટર અતુલ સાત વર્ષીય ગાયની સર્જરી કરનારી ત્રણ સભ્યોની ટીમનો હિસ્સો હતા.
અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર ગાયને એનઆઇટી-5 ફરીદાબાદથી રેસ્ક્યૂ કરવામાં આવી હતી. જ્યાં એક કારે ગાયને ટક્કર મારી દીધી હતી. ગાયને ફરીદાબાદની દેવઆશ્રય હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી.
જ્યાં ગાય દુખાવાના કારણે પોતાના પેટ પર લાત મારી રહી હતી. ત્યારબાદ ગાયનો એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરવામાં આવ્યો. ટેસ્ટમાં ગાયના પેટની અંદર હાનિકારક પદાર્થો હોવાની પુષ્ટિ થઈ હતી.
ગાયના પેટના ચાર હિસ્સાઓને સાફ કરવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો, જેમાં મોટાભાગમાં પોલિથીન હતી. ડૉક્ટરોનું કહેવું છે કે ગાયનું પાચન તંત્ર જટિલ છે. જો પોલિથીન લાંબા સમય સુધી તેમાં રહે છે તો તે પેટ સાથે ચોંટી જાય છે. તેનાથી હવા ભરાઈ શકે છે. આ સ્થિતિમાં એક પશુ પડી શકે છે અથવા તો પેટને લાત મારવાનું શરૂ કરી શકે છે, પરંતુ પશુના પેટની અંદર 71 કિલો કચરો ખોવો ખતરનાક બાબત છે.