વિક્રમસંવત અનુસાર કાર્તિકમાસની સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચદિવસના કાર્તિકી મેળાનો પ્રારંભ થશે આ મેળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
હિન્દુધર્મની પ્રાચીન સમયથી બે પરંપરા છે. 1 શિવ પરંપરા અને બીજી વૈષ્ણવ પરંપરા પ્રભાસપાટણ આ બન્ને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ રૂપે બિરાજે છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જીવનલીલા અહીં સમાપ્ત કરી ગોલોકધામ ગમન કર્યું હતું આથી અહીં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ખાસ મહત્વ ધરાવે છે.
ભગવાન વિષ્ણુ કારતક સુદ એકાદશીએ જાગે છે. તમામ ભક્તો માટે તે દિવસ ઉસ્તવનો હોય છે. કારતક સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુના તુલસીજી સાથે વિવાહ યોજાય છે.
કાર્તિકેયપૂર્ણિમાના મેળામાં પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસમુદાયને નવું આકર્ષણ મળી રહે તેમાટે આયોજન કરવામાં આવે છે. મેળાના સમગ્ર આયોજનને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર , નગરસેવા સદનના સહયોગથી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.