ગરીબોને હટાવાયા માલેતુજાર બિલ્ડરોના અવેધ બાંધકામોને ક્યારે હટાવશે ?
વલસાડ: વલસાડ શહેર આ ધરમપુર ચોડકી થી એસટી વર્કશોપ અને ઓવર બ્રિજ સુધી રસ્તા માં આવતા દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરાઈ ગત રોજ જિલ્લા કલેકટર એ પોતે રસ્તા ઓ પર દબાણ નું નિરીક્ષણ કર્યું હતું જોકે ત્યાર બાદ આદેશ પણ આપવામાં આવ્યા હતા જે આદેશ બાદ આજ રોજ વહેલી સવાર થી વહીવટી તંત્ર કામે જોતરાયું છે આર એન્ડ બી વિભાગ .પાલિકા .અને મામલતદાર ની ટિમ જેઓ અધિક કલેકટર ની અધ્યક્ષતા માં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મોટી સંખ્યામાં પોલિસ કાફલો પણ સાથે રાખવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે ત્યારે આ કામ માં 2 જેસીબી 1 ટ્રેકટર જેવા વાહનો નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ગત રોજ સમગ્ર શહેર નું જિલ્લા કલેકટર એ દબાણ બાબતે નિરીક્ષણ કર્યું હતું અને આજરોજ વહેલી સવાર થી વલસાડ શહેર આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેને લઈ શહેર ના અન્ય દબાણ કર્તા ઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.