વલસાડ પંથકમાં અવનવુ?
અગાઉ વલસાડ નગર પાલિકામાં મહત્વના હોદ્દા ઉપર લાંબા સમય સુધી એક હથ્થુ સાશન કરનાર અને હવે હાંસિયામાં ધકેલાઇ ગયેલા અગ્રણી રાતોરાત ખેડૂત ખાતેદાર કેવી રીતે બની ગયા?
પ્રતિનિધિ વલસાડ, તા.૦૯
વલસાડ પંથકમાં તંત્રના નફફટ અને તોડબાજ અધિકારીઓની મહેરબાનીથી લેભાગુ તત્વોને જલસા પડી ગયા છે અને આ વિસ્તારમાં જમીન સહીત અન્ય ક્ષેત્રમાં જમાવટ કરી ગયેલા તત્વો હવે કોઇને ગાંઠતા નથી. વલસાડ નગરપાલિકામાં એક સમયે મહત્વના હોદ્દા ઉપર રહી ચુકેલા અને છેક ગાંધીનગર સુધી પોતાની વગ ધરાવતા અને ધારાસભ્ય પદ સુધીના નામની ચર્ચા પછી એકાએક પછડાટ ખાનાર એક ખંધા અગ્રણીએ જુજવા ગામની જમીનમાં રાતોરાત ખેડૂત ખાતેદાર બની જતાં ભારે આશ્ચર્ય ફેલાયુ છે આ વાત હવે ધીરેધીરે બહાર આવવાની શરૂઆત થઇ ચુકી હોવાની વિગતો જાણવા મળી છે.
ભ્રષ્ટ વહીવટ માટે વગોવાઇ ગયેલા વલસાડ નગરપાલિકામાં ચૂંટાયેલા મોટાભાગના આજે કરોડપતી બની ગયા છે અને જનતાના રૂપિયા ભેગા કર્યાની વાતો સામાન્ય બની ગઇ છે ત્યારે જૂજવા ગામે કયા નેતાઓ પોતાની વગનો ઉપયોગ કરી ખેડૂત ખાતેદાર નું લેવલ મેળવી લીધુ છે તે આવનારા સમયમાં બહાર
આવશે પરંતુ પૈસાના જારે બધુ જ પ્રાપ્ત થઇ શકતુ હોવાની વાતો વલસાડ નગરમાં ફીટ થાય છે અને અહી બધુ જ ગેરકાયદે થઇ શકે છે તેની વિગતો સાથે સત્ય ડે માં તમામ સ્ટોરી પ્રકાશિત કરાઇ રહી છે.