વલસાડ પોલીસની તપાસમાં મોરબી પાલિકામાં ચાલતું જન્મ મરણના ખોટા દાખલા કાઢી આપતા હોવાનો પર્દાફાશ થયો છે જેમાં હાલ પાલિકા દ્વારા બે કોન્ટ્રાકટ પર રેહલા કર્મચારીઓ માતા-પુત્રને ફરજમુકત કરવામાં આવ્યા છે
મોરબી પાલિકાના બોગસ ડેથ સર્ટિફિકેટના આધારે વલસાડમાં જમીન કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. આ જમીન કૌભાંડની વલસાડ પોલીસે તપાસ કરતા મોરબી પાલિકામાં ચાલતા ખોટા જન્મ મરણના દાખલા કાઢી આપતા હોવાનું પણ પર્દાફાશ થયો છે જેમાં વલસાડ પોલીસ આ બાબતે મોરબી પાલિકામાં તપાસ માટે આવી હતી અને બોગસ મરણનો દાખલો કાઢી આપનાર મોરબી પાલિકાના બે કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓ માતા-પુત્રને પૂછપરછ માટે બોલાવ્યા બાદ પાલિકાએ બંને કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મુંબઇ રહેતાં પારસી કમીએચરશા મહેતા ઉ.વ.૮૩ નામના વૃદ્ધાની વલસાડના ઓઝર ગામે આવેલી કિંમતી જમીન હડપ કરવા માટે મોરબીની એક મહિલા સહિત બે અને વલસાડના ૩ તેમજ જામનગરના એક મળી કુલ છ શખ્સોએ કાવતરું રચ્યું હતું . જેમાં પારસી વૃધ્ધા જીવીત હોવા છતાં તેને મૃત દર્શાવીને મોરબી પાલિકા માથી વૃદ્ધાનું ખોટું ડેથ સર્ટિ બનાવી લીધું હતું. આ ડેથ સર્ટી અને બીજા ડોક્યુમેન્ટના આધારે વૃદ્ધાની વલસાડના ઓઝર ગામની જમીન હડપી લેવા આ પ્લાન ઘડ્યો હતો . આ બાબતની મૂળ માલિકને ખબર પડતાં આ જમીન કૌભાંડ અંગે વલસાડમાં ફરિયાદ નોંધાઈ હતી. વલસાડ પોલીસે ખોટા જન્મ મરણનો દાખલો કાઢી આપનાર મોરબી પાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા બે કર્મચારી માતા-પુત્રને પૂછપરછ માટે વલસાડ બોલાવ્યા છે ત્યારે મોરબી પાલિકા તંત્રે તાત્કાલિક પગલાં લઈને પુત્ર કર્તવ્ય ભટ્ટ અને તેની માતા ફાલ્ગુની ભટ્ટ નામના આ બંને કર્મચારીઓની ફરજ મુક્ત કરી નાખવામાં આવ્યા છે . ત્યારે ખરેખર પાલિકાના જવાબદાર કર્મચારીઓ બેદરકારી દાખવી છે કે જાણી જોઈને જન્મ મરણના ખોટા દાખલા કાઢી આપે છે તે અંગે તટસ્થ તપાસ થવી જોઇએ તે જરૂરી છે .તો વધુમાં એવી પણ સુત્રોમાંથી માહિતી મળી છે કે વલસાડના જમીન પચાવી પાડવાના કેસમાં પારસી વૃધ્ધાના મોટા ભાગના બોગસ ડોક્યુમેન્ટ મોરબીમાં બન્યા છે મુંબઇના વૃદ્ધાને મોરબી તાલુકાના અમરાપર, નાગરપરના રહેવાસી ગણાવીને તેના બોગસ રેશનકાર્ડને આધાર કાર્ડ બનાવામાં આવ્યા હતા