વડોદરા:સમગ્ર દેશમાં coVID – 19 ની અસરોને નિયંત્રિત કરવાના હેતુથી, The Disaster Management Ac , 2005 થી મળેલ સત્તા અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તા.૨૫-૦૩-૨૦૨૦ થી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતો વખતના હુકમથી આ અવધી તા .૩૧.૦૫.૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે. જે અન્વયે રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતી લક્ષમાં લેતાં સમગ્ર રાજયમાં લોકડાઉનનો અમલ તા.૩૧-૦૫-૨૦૨૦ સુધી ચાલુ રાખવા તા.૧૮-૦૫-૨૦૨૦ના જાહેરનામાથી જરૂરી હુકમો કરવામાં આવેલ છે. ગૃહ વિભાગના તા.૧૮-૦૫-૨૦૨૦ના હુકમથી તા.૧૮-૦૫-૨૦૨૦ ના જાહેરનામાના પારા ( ૫ )માં ઉમેરો કરવામાં આવેલ છે . તથા ગૃહ વિભાગ દ્વારા તા.૧૯-૦૫-૨૦૨૦ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે
સમગ્ર દેશમાં COVID – 19ની અસરોને ધ્યાને લેતા National Disaster Management Authorityના નિર્દેશ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમથી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી lock down ની અવધિ લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમ સાથેની Guidelines for Phase Re – opening ( Unlock 1 ) નો ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. આથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમ અનુસાર સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૦૧.૦૬.૨૦૨૦ના 24.૦૦ કલાકથી તા .૩૦.૦૬.૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી લોકડાઉં લોકડાઉનની અવધિ લંબાવવામાં આવેલ છે, તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધીત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે .આમ, કેન્દ્ર અને રાજ્ય સરકારના હુકમો અને માર્ગદર્શિકાઓને ધ્યાને લઈ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જે અન્વયે નીચે મુજબના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.