ભાવનગરના સિહોરમાંથી 10 લોકો વડોદરાના નાગરવાડા ગયા હતા. તેમાંથી રાત્રે 1 નો રીપોર્ટ પોઝિટિવ આવતા મોડીરાત્રે વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સિહોરના જલુના ચોકમાં પહોંચી તમામ વિસ્તારને સીલ કરવામાં આવ્યો હતો. ભાવનગરના સિહોરમાંથી એક 20 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. રાત્રે જ યુવાન રહેતો તે વિસ્તારને સીલ કરાયો અલ્ફાઝ હનીફ દસાડીયા નામનો યુવાન કે જે વડોદરા નાગરવાડા તબલીઘ જમાતમાં ગયા બાદ 23 માર્ચના રોજ પરત ફર્યો હતો. તેમની સાથે અન્ય 9 લોકો પણ સાથે હોય જેની હકીકત મળતા તંત્ર દ્વારા આ 10 લોકોનો રિપોર્ટ કરાવતા 1 પોઝિટિવ આવ્યો હતો જેને લઈ નાયબ કલેકટર, મામલતદાર, પોલીસ અધિકારીઓ તેમજ આરોગ્યની ટીમ સહિતનો કાફલો સિહોરના જલુના ચોક વિસ્તારમાં દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને અડધી રાત્રે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Sunday, May 19