ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં.
12 નવેમ્બર 2021 ના રોજ વહેલી સવારે વલસાડના ભિલાડ નજીક અકસ્માત સર્જાયો હતો. બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મોત થયા છે. જ્યારે 4થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતમાં ઘાયલ થયા લોકોને દવાખાને પહોંચાડ્યા.
કનાડુ ગામના રહેવાસીને અકસ્માત નડ્યો
વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ભિલાડ નજીક કનાડુ ગામના દંપતિનું મોત થયું છે. અને અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 4 થી વધુ લોકો ઘાયલ છે. કનાડુ ગામના મુકેશભાઈ પોતાની પત્ની સાથે ઘરે પાંચ ફરી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પતિ અને પત્ની બને નું મૃત્યુ થયું છે.
પોલીસે આગળ કાર્યવાહી શરુ કરી
આ અકસ્માતની ખબર પોલીસને પડતા પોલીસ પર અકસ્માતના સ્થળે પહોંચી હતી અને પોલીસ અત્યારે આગળની તપાસ કરશે. અકસ્માતમાં ઘાયલ થયેલા માણસોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.