વલસાડઃ તા.૦૬: વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને લઇ વલસાડ નગારપાલિકા વિસ્તારના હોલસેલ વેપારીઓ/ ચેમ્બર ઓફ કોમર્સ/ કાપડ એસોસીએશન/ શાકભાજી એસોશીએશન, રીટેલ અનાજ કરીયાણા, સોના ચાંદીના વેપારીઓ તથા ઉમીયા સોશીયલ ગૃપની બેઠક પ્રાંત અધિકારી વલસાડ સાથે બેઠક યોજાઇ હતી.
વૈશ્વિક મહામારી કોરાના સંક્રમણને ધ્યાને રાખી વેપારીઓ દ્વારા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબની સુચનાઓનું ચુસ્તપણે અમલવારી કરવા, ગ્રાહકોને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા, ફરજિયાત માસ્ક પહેરવા તેમજ તા. ૦૭/૦૭/૨૦૨૦ થી ૧૩/૦૭/૨૦૨૦ સુધી દરેક પ્રકારની દુકાનો સવારે ૮-૦૦ થી બપોરે ૪ -૦૦ વાગ્યા સુધી, છીપવાડ વિસ્તારના હોલસેલ વેપારીઓની દુકાન સવારે ૮-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી અને શાકભાજી માર્કેટના પાથરણા અને લારીવાળાઓએ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીજ ચાલુ રાખશે, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.