વલસાડઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા. ૩૦/૦પ/ર૦ર૦ના હુકમ તથા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. ૦૪/૦૬/૨૦ના હુકમને ધ્યાને લઇ રાજય સરકારે મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટલો તા.૦૮/૦૬/૨૦૨૦ થી સમગ્ર રાજયમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સરકારશ્રી દ્વારા અપાયેલ SOP મુજબ ચાલુ કરવા જણાવેલ છે.
વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.આર.રાવલે જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ SOP જેમ કે જાહેર સ્થળોએ સોશિયલ ડીસ્ટન્સીંગ રાખવા, શ્વાસોશ્વાસના શિસ્તાચારનું ચુસ્તપણે પાલન કરવા , ફકત કોવિદ-૧૯ના લક્ષણો ન ધરાવતી વ્યકિતઓને પરિસરમાં આવવા મંજુરી આપવા, એર કન્ડીશનીંગ/વેન્ટીલેશન માટે સી.પી.ડબ્લ્યુ.ડીની માર્ગદર્શિકાનું પાલન કરવા, મોટા પ્રમાણમાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રાખવા, એક બીજાને અભિવાદન કરતી વખતે શારિરીક સંપર્ક ટાળવા, ડીજીટલ માધ્યમથી પેમેન્ટ કરવા, કલોથ નેપકીનની જગ્યાએ પેપર નેપકીનનો ઉપયોગ કરવા, ગ્રહક અને સ્ટાફે માસ્કનો
અનિવાર્ય ઉપયોગ કરવા, કોવિદ-૧૯ ના નિવારત્મક પગલા સંબધિ બોર્ડ લગાડવા, મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટલોના પરિસરની અંદર અસરકારક સ્વચ્છતા જાળવવા સમયાંતરે સેનીટાઇઝ કરવા, હોમ
ડીલીવરી/ પાર્સલ સર્વિસને વધારે પ્રાવધાન આપવા, હોટેલના ગેમ પ્લે એરીયા બંધ રાખવા ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સુચનાઓનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે અન્યથા કાયદેસરની કાર્યવાહીને પાત્ર થશે તેની નોંધ લેવા વલસાડ જિલ્લાના તમામ મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટલોને અપીલ કરવામાં આવી છે.