Valsad : અબોલ જીવોની સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવા સેવા મિત્ર મંડળ વલસાડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક ચકલી ઘર તથા પાણીના કુંડા નો વિતરણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત 4,500 ચકલી ઘર અને 2500 પાણીના કુંડા નુ વિતરણ કરાયું હતું. 20 મી માર્ચે આવતા world sparrow Day એટલે કે વિશ્વ ચકલી દિવસની લક્ષમાં રાખીને સેવા મિત્ર મંડળ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું
ચકલી ઘર અને પાણીના કુંડા નું વિતરણ કરવું આ સિવાય અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે શિયાળામાં જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ જૂન માસમાં નિ:શુલ્ક નોટબુક વિતરણ પૂરના સમયે પણ સેવા મિત્ર મંડળ દ્વારા સહાય કરવામાં આવી હતી ચકલી ઘર અને પાણીના કુંડા લેવા માટે મોટી સંખ્યામાં વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેવા મિત્ર મંડળના પ્રમુખ અક્ષય સોની અને મંડળના તમામ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.