ચાલુ વર્ષે જિલ્લા માં 239 જેટલા ડેન્ગ્યુ ના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર ઉંઘતું ઝડપાયું : રોગચાળો કાબુમાં લેવા કુલ 30 જેટલી ટીમો કામે લાગી : આગોતરા આયોજન ની પોલ ખુલ્લી પડી.
વલસાડ જિલ્લા માં ચાલુ વર્ષે વરસાદ નું પ્રમાણ વધતા મચ્છર જન્ય રોગચાળાએ અજગર ભરડો લેતા અને છેલ્લી ઘડીએ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગે દેખા દેતા નું ધ્યાને આવતાજિલ્લા નું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું તંત્ર ને ખબર હોવાછતાં વરસાદી મૌસમ દરમ્યાન ખાસ પગલાં ભરવામાં નહીં આવતા આખરે મચ્છરો ના સામ્રાજ્ય એ આખરી હુમલો કરી દેતા તંત્ર નપાણિયું સાબિત થઈ ગયું છે કારણકે ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગે રાજય માં કંઈક ની જીન્દગીઓ છીનવી લીધી છે અને તેમાંય વલસાડ માં ગંદકી અને પાણી ભરવાની સ્થિતિ વચ્ચે તંત્ર એ બેદરકારી દાખવી હોવાનું સપાટી ઉપર આવ્યું છે. હવે મોડે મોડે જાગેલા તંત્ર વાહકો એ શહેર અને જિલ્લા માં જઈ મચ્છરો ના ઉપદ્રવ ને ટાળવા અને દવા તેમજ જાગૃતિ માટે કામગીરી હાથ ધરી છે.
વલસાડ જિલ્લા માં 30 ટિમો માં દર એક ટીમ માં 2 કર્મચારીઓ ઘરેઘરે ફરીને અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે મંગળ , ગુરુ અને શનિવારે કામગીરી હાથ ધરી રોગચાળા ને કાબુ માં લેવા મથામણ કરી રહ્યા છે.
આરોગ્ય વિભાગ ના જે આંકડા દર્શાવાયા છે તેમાં ગત વર્ષે જાન્યુઆરી થી નવેમ્બર દરમ્યાન કુલ 500 જેટલા શંકાસ્પદ નમૂના માં 97 ડેન્ગ્યુ ના કેસ નોંધાયા હતા અને 82 જેટલા કેસ મચ્છરજન્ય મેલેરિયા ના નોંધાયા હતા જેમાં ઓક્ટોબર સુધીના કેસ નો સમાવેશ થાય છે જ્યારે ગત વર્ષ ની સરખામણીમાં ચાલુ વર્ષે 955 જેટલા નમૂના માં 239 ડેન્ગ્યુ અને 53 જેટલા કેસ મેલેરિયા ના નોંધાયા છે, આ કેસ ની વિગતો જોઈએ તો ચાલુ વર્ષે વલસાડ શહેર માં જ સૌથી વધુ 177 , પારડી તાલુકામાં 12 ,વાપી તાલુકામાં 27 ,ઉમરગામ માં 11,કપરાડા માં 1 અને ધરમપુર તાલુકામાં 11 ડેન્ગ્યૂ ના કેસ નોંધાયા છે.આ આંકડા જ રોગચાળો કેટલી હદે વકર્યો છે તે જાણી શકાય છે
જોકે, હવે મોડે મોડે મછરજન્ય રોગચાળા ને ડામવા માટે આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી છે અને પાણી ના ભરાવા ને રોકવા સહિત ઘર માં પણ સાવચેતી ના પગલા ભરવા માટે ઘરઘર ફરીને લોકો માં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે જોકે ખાનગી હોસ્પિટલમાં પણ કેસો નોંધાતા હોય છે પરંતુ તેના આંકડા બહાર નહિ આવતા ચોક્કસ આંકડો જાણી શકાતો નથી કે મૃત્યુઆંક ના આંકડા સામે આવતા નથી
વલસાડ માં ફાટી નીકળેલા મેલરીયા અને ડેન્ગ્યુ જેવા રોગચાળા ને લઈને અનેક સવાલો ઉભા થયા છે ત્યારે જનતા ના જીવ સાથે રમત રમતા જવાબદારો સામે લોકો માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે જવાબદાર કોણ અને તેઓ સામે તપાસ કરી કોણ કાર્યવાહી કરશે તે બાબત તપાસ અને ચર્ચા નો વિષય બની છે