વલસાડ : જ્યાં એક તરફ દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ભારત અભિયાન ના સપનાં જોઈ રહ્યા છે.તો બીજી તરફ વલસાડ નગરપાલિકા ના હદ વિષતાર માં આવતું ઘાંચીવાડ માં ગટર ઉભરાતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છેલ્લા 10 દિવસ થી નગરપાલિકા માં જાણ કરતા હોવા છતાં કોઈ જોવા ના આવતા ઘાંચીવાડ ના લોકો માં ભારે રોષ જોવા મળ્યો
વલસાડ નગરપાલિકા ની બેદરકારી દિવસ એ દિવસે બહાર આવી રહી છે તો છેલ્લા 10 દિવસ થી શહીદ ચોક પાસે આવેલું ઘાંચીવાડ માં ગટર લાઈન ડેમેજ થઈ જતા રસ્તા ઓ ઉપર ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેમાં 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં પણ 5 ગટરો એક સાથે ડેમેજ થઈ છે તો એક તરફ સતા ઉપર બેસેલા સભ્યો જનતા ના મત લઇ ને જીતેલા નેતા ઓ તો જાણે પોતાના કેબીન માં બેસી ને હવા ખાતા હોય એમ લાગી રહ્યુ છે
આ ઘાંચીવાડ માં થી આવતા જતા લોકો પોતા ના મોડા પર રૂમાલ કે દુપતો રાખવો પડે એટલી આ ગટર ના પાણી દુર્ઘન્ધ આવતી હોય છે તો અહીં વસતા સ્થાનિકો ના મોમાં જમવા નું કેમ ઉતરતું હશે એ તો હવે નગરપાલિકા ના દરેક મેમ્બર ને ત્યાં લાવી જમાડે તો જ ખબર પડે સુ જીવન જીવે છે ઘાંચીવાડ ના સ્થાનિકો
જાણે વલસાડ નગરપાલિકા માં લાલીયાવાડી જ ચાલતી હોય તેમ કોઈ પણ સભ્ય કે ચૂંટાઈ આવેલા નેતા ઓ જોવા પણ નથી આવતા તો આ જનતા નું સાંભળશે કોણ સુ આ કામો થશે ખરા કે પછી એજ રામ રાખે તેને કોણ ચાખે એવું લાગી રહ્યું છે
જો વલસાડ નગરપાલિકા ના ચૂંટાઈ આવેલા સભ્યો અહીં થી પસાર થાય તો એમ ને ખબર પડે કે ગંદકી કોને કહેવાય
તો અમારે આવા નેતા ઓ અને સભ્યો ને ખાલી એટલું જ જણાવવા નું કે તમને ખુરશી પર ખાલી બેસવા માટે જનતા એ પોતાના કિંમતી મત નથી આપ્યા તમે તેઓ નું કામ કરશો એ આશ લઈ તમને સતા ઉપર બેસાડ્યા છે તો તમે એટલું ધ્યાન રાખજો કે જે જનતા ખુરશી પર બેસાડી શકે એજ જનતા જો રોશે ભરાય તો ખુરશી પર થી ઉતારી પણ શકે 0 રિપોર્ટ સત્ય ડે.કોમ વલસાડ