વલસાડના વશિયર ગામેથી દોઢ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. વલસાડ ડીવાયએસપી સહિત રૂરલ પીએસઆઇ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બાળક વિકલાંગ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતુ. બાળકના મૃતદેહને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આખરે બાળકનું મોત કેવી રીતે થયું. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
Sunday, May 19