રૂા.૧૧૬ કરોડની વાપી પાણી પુરવઠા યોજનાનું કરાયા ખાતે તખ્તી અનાવરણ કરી ભુમિપૂજન કર્યું હતું
વલસાડ: સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ કરાયા તા.વાપી ગામે તળાવ ઊડું કરવાના શ્રમદાન કાર્યક્રમમાં મુખ્ય મંત્રરી હાજરી ..આપી હતી તેમજ રૂા.૧૧૬ કરોડના ખર્ચે વાપી તાલુકાની પાણી પુરવઠા યોજનાનું કરાયા ખાતે તખ્તી અનાવરણ કરી ભુમિપૂજન કયુૅ હતુ . મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રમિકોને છાસ-સુખડી વિતરણનું કરવામા આવ્યુ હતું
વાપી તાલુકાના કરાયા ગામે હયાત તળાવમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ લોકભાગીદારી વડે ઊડું કરવાનું આયોજન થયું છે. પ૦ હજાર કયુબીક મીટર માટી ખોદાણ થકી તળાવની પાણી સંગ્રહ શકિતમાં આશરે ૧૭૬પ મીલીયન કયુબીક મીટરનો વધારો થશે. જેનાથી કરાયા ગામની આશરે પપ હેકટર જમીનને સિંચાઇનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ મળશે. ખોદાણથી નીકળેલી માટે ગામના ખેડૂત ખાતેદારો વિનામુલ્યે ખેતરમાં નાંખવા ઉપયોગ કરી શકશે.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી શહેરની આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલા ૨પ ગામોમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા રૂા.૧૧૬ .૪૨ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી છે. જેનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયા ખાતે ભુમિપુજન થયુ હતું . દમણગંગા નદીમાંથી પાણી મેળવીને નદી આધારિત વાપી જુથ યોજના દ્વારા તાલુકાની ૨પ ગામોની ૧.૭૦ લાખ વસતિને લાભ થશે. આ યોજનામાં સમાવિષ્ઠ ગામોને ઝોન પ્રમાણે પાણી પુરૂ પાડવામાં આવશે.
કાયૅક્રમના પ્રારંભે ઉપસ્થિત તમામ મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું સૌને આવકારતા
વલસાડ. કલેકટરશ્રીએ જણાવ્યુ જિલ્લામાં રૂા.૧પ.૨૯ કરોડના ખર્ચે ૭પ૨ કામો થઇ રહયા છે. જે પૈકી લોકભાગીદારીથી કુલ ૧૬૦ કામો જેમાં ૧૧૭ તળાવો, ૪૩ ચેકડેમ ડીસીસ્ટીંગ કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટલ કામગીરીના ૪૧ ચેકડેમોની મરામત મનરેગા યોજના હેઠળ ૩૮૦ કામો થઇ રહયા છે. જે પૈકી ૧૨૪ કામો પુર્ણ થયા છે. ૬૪૩ કામો પ્રગતિ હેઠળ છે.
કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય કનુંં ભાઈ દેસાઈ એ તળાવ ઊંડા કરવાની યોજના બાબતે સરકાર શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો ડો.કે સી પટેલે પણ સામાન્ય લોકો ને પાણી મળી રહે એવા અભિગમ માટે સરકારની યોજના સુજલમ શુફલામ નો આભાર માન્યો હતો
સી એમ વિજય રૂપાણી એ જણાવ્યું કે પાણી એ ઈશ્વરનો પ્રસાદ છે જે સામાન્ય વ્યક્તિ ને મળવો જોઈએ તેમને સુજલામ સુફલામ યોજનાનો ચિતાર આપતા કહ્યું કે યોજનાનો પ્રારંભ થયોને હજુ માત્ર 26 દિવસ થયા છે પરંતુ લોકોને રોજગારી મળી છે તેમને
આ યોજના ને ભારત માં સૌથી મોટું જળ અભિયાન ગણાવી કહ્યું કે એક માત્ર ગુજરાતમાં 13000 તળાવો ખોડાયા છે આગામી ચોમાસામાં 11 હજાર લાખ ઘન ફૂટ પાણીની ક્ષમતા વધે તે લક્ષ્યાંક સાથે સરકાર આગળ વધી રહી છે અને 31 તારીખે માં નર્મદા જળ પુજન નું કાર્યકમ થશે જેમાં દરેક તળાવો માં નર્મદાના જળ કળશ મોકલી દરેક તળાવને પવિત્ર કરવામાં આવશે તેમને કહ્યું કે આ યોજના હેેેઠળ 32 નદી જીવિત કરી છે જેમાં 2 નદી વલસાડ ની પુનરજીવિત કરવામાં આવી છે
તેમને કોંગ્રેસીઓ ને જાદુગર ગણાવ્યા અને કહ્યું કે જ્યાં 200 કરોડ નું કામ થાયુ ના હોય ત્યાં 24 કરોડ નો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો વહેતી કરે છે ભ્રષ્ટાચાર ની ગંગોત્રીમાં ખરડાયેલા લોકોને ભ્રષ્ટાચાર જ દેખાય છે નું જણાવી ઝાટકણી કાઢી હતી ગુજરાત ની જનતા એ પડેલો પરસેવો એળે ન જાય ભવિષ્ય ની પેઢી ઉપર થી દુકાળ નો ઓછાયો દૂર થાય તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે