નેપાળમાં તારા એર 9 NAET ટ્વીન એન્જિનવાળા એરક્રાફ્ટનો સંપર્ક તૂટી ગયો છે. તેમાં 19 મુસાફરો સવાર હતા. ત્રણ ક્રૂ મેમ્બર પણ હતા. ગુમ થયેલા વિમાનમાં ચાર ભારતીય અને ત્રણ જાપાની નાગરિકો પણ સવાર હતા. બાકીના નેપાળી નાગરિકો હતા. એરપોર્ટ અધિકારીએ જણાવ્યું કે પ્લેન પોખરાથી જોમસોમ માટે સવારે 9:55 વાગ્યે ઉડાન ભરી હતી.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિન્દ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે મંત્રાલયે ગુમ થયેલા વિમાનને શોધવા માટે મુસ્તાંગ અને પોખરાથી બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. શોધ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે, “વિમાનને મુસ્તાંગ જિલ્લાના જોમસોમના આકાશમાં જોવામાં આવ્યું હતું અને પછી ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક થયો ન હતો.” તે જ સમયે, તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યું કે કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઈલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા ફ્લાઈટમાં સવાર હતા.